ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાનો આપઘાત- મિત્રએ કર્યો મોટો ખુલાસો

Published on Trishul News at 12:03 PM, Fri, 25 November 2022

Last modified on November 25th, 2022 at 12:03 PM

આમ આદમી પાર્ટી(AAP)ની ટ્રેડ વિંગના સ્ટેટ સેક્રેટરી સંદીપ ભારદ્વાજે(sandeep bhardwaj) ગુરુવારે પોતાના ઘરે આપઘાત કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ 174 હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ સંદીપ ભારદ્વાજ બે દિવસથી ઘરની બહાર નીકળ્યા ન હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સંદીપ ભારદ્વાજ AAP ટ્રેડ વિંગ દિલ્હીના સેક્રેટરી હતા અને રાજૌરી ગાર્ડનમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા. પશ્ચિમી જિલ્લાના ડીસીપી ઘનશ્યામ બંસલે જણાવ્યું કે, ગુરુવારે સાંજે લગભગ 4.40 વાગ્યે પોલીસને માહિતી મળી કે સંદીપ ભારદ્વાજે આપઘાત કરી લીધો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સંબંધીઓએ જણાવ્યું કે સંદીપ રાત્રિભોજન કર્યા બાદ ઉપરના માળે તેના રૂમમાં ગયા હતા. ઘણો સમય થવા છતાં તે નીચે ન આવતાં તે તેને મળવા ગયા હતા. સંદીપ રૂમમાં સીલિંગ ફેન સાથે લટકટ જોવા મળ્યા હતા. સંબંધીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા છે.

MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા:
સંદીપ ભારદ્વાજના એક મિત્રએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ‘એક કારણ એ પણ હોઈ શકે છે કે તે લાંબા સમયથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. તેઓ આમ આદમી પાર્ટી સાથે શરૂઆતથી જોડાયેલા હતા. અહીંના ધારાસભ્ય શિવચરણનું કામ જોતા હતા. તેમને વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ટિકિટ ન મળી. જેને તે સહન ન કરી શક્યો તેને આઘાત લાગ્યો હતો. કદાચ એટલે જ તેણે આપઘાત કરી લીધો હોઈ શકે છે.

સંદીપ ભારદ્વાજનો આપઘાત નહી હત્યા છે – ભાજપ
ભાજપના સાંસદ મનોજ તિવારીએ સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી હતી. તેમણે કહ્યું કે સંદીપના મોત માટે કેજરીવાલ જવાબદાર છે. તમારા ટોચના નેતાઓની માનવતા મરી ગઈ છે. સંદીપ ભારદ્વાજની હત્યા કરવામાં આવી હતી. MCD ચૂંટણીમાં સંદીપને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ તેના બદલે આમિરને ટિકિટ આપવામાં આવી છે. મનોજ તિવારીએ કહ્યું કે સંદીપ ભારદ્વાજની હત્યા કરવામાં આવી છે. અમે સંદીપની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરીએ છીએ.

ભાજપે મોત પર રાજનીતિ ન કરવી જોઈએ – મનીષ સિસોદિયા
દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સંદીપ ભારદ્વાજના મૃત્યુ પર રાજકારણ ન કરવું જોઈએ. સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાનો આપઘાત- મિત્રએ કર્યો મોટો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*