નિઝામુદ્દીન મરકઝમાં આવેલા જમાતીઓની મુસીબત વધી- સરકાર ઉઠાવશે આ કડક પગલું

Published on Trishul News at 11:59 AM, Mon, 25 May 2020

Last modified on May 25th, 2020 at 11:59 AM

કોરોનાવાયરસ સંકટ વચ્ચે દિલ્હી પોલીસ નિઝામુદ્દીનમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયેલા વિદેશી જમાતીઓ પર કડક પગલાં લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસ 916 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરશે. વિદેશથી આવેલા જમાતીઓ ઉપર વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તમામ લોકોના પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.

ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો ભારતમાં ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે. 67 દેશોમાંથી વિદેશી જમાતી દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં આવ્યા હતા. દિલ્હી પોલીસે તમામ વિદેશી જમાતીઓની પૂછપરછ કરી છે. તમામ લોકોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે તેઓ મરકજના મૌલાના મોહમ્મદ સાદના કહેવાથી 20 માર્ચ બાદ રોકાયા હતા. તમામ લોકોના વિઝા પૂર્ણ થઈ ગયા છે.

સરકારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં બીજા નિયમોનું ઉલ્લંઘન કરી તબલીગી જમાતની ગતિવિધિઓમાં સામેલ થવાના કારણે 960 વિદેશીઓના નામ બ્લેકલિસ્ટ કરી દીધા અને તેના વિઝાને પણ રદ કરી દીધા. ગૃહ મંત્રાલયએ દિલ્હી પોલીસ અને અન્ય રાજયોના પોલીસ પ્રમુખોને વિદેશી કાયદા અને આપદા પ્રબંધન કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આના પહેલા દિલ્હી પોલીસે તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદ વિરુદ્ધ સકંજો કસતા તેના દીકરાની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે મૌલાના સાદ નો દીકરો જ તેના તમામ કામકાજ નું ધ્યાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "નિઝામુદ્દીન મરકઝમાં આવેલા જમાતીઓની મુસીબત વધી- સરકાર ઉઠાવશે આ કડક પગલું"

Leave a comment

Your email address will not be published.


*