હવે સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, જાણો શું કરવાનું રહેશે ?

Published on Trishul News at 5:40 PM, Mon, 8 July 2019

Last modified on July 12th, 2019 at 1:30 PM

ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ફોન ખોવાઇ જાય કે ચોરી થઇ જાય છે. પરંતુ તેનું સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવાના કારણે તેને શોધી કાઢવો મુશ્કેલ બની જાય છે. સરકાર આગામી મહિને તમારી આ સમસ્યાનું સમાધાન લાવશે.

સરકાર આગામી મહિને આવા ટેક્નોલોજી આધારિત સમાધાનની શરૂઆત કરવા જઇ રહી છે જેના દ્વારા સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવામાં આવે તેમ છતાં ખોવાઇ ગયેલા કે ચોરી થયેલા ફોનને શોધી શકાશે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (સી-ડીઓટી)એ ટેક્નોલોજી તૈયાર કરી લીધી છે અને તેની શરૂઆત ઓગસ્ટથી થાય તેવી શક્યતા છે.

દૂરસંચાર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સી-ડૉટ પાસે ટેક્નોલોજી તૈયાર છે. સંસદ સત્ર બાદ દૂરસંચાર વિભાગ મંત્રીનો આ પ્રણાલીની શરૂઆત માટે સંપર્ક કરશે. આ આગામી મહિને શરૂ થાય તેવી શક્યતા છે.

દૂરસંચાર વિભાગે જુલાઇ 2017માં નકલી મોબાઇલ ફોન અને ચોરીની ઘટનાઓ ઘટાડવાના લક્ષ્ય સાથે સી-ડૉટને ‘સેન્ટ્રલ એક્વિપમેન્ટ આઇડેંટીટી રજીસ્ટર ‘ (સીઇઆઇઆર) વિકસિત કરવાનું કામ આપ્યુ હતું. સરકારે સીઆઇઆરની રચના માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં. સીઇઆઇઆર પ્રણાલી સિમ કાર્ડ કાઢવા અથવા આઇએમઇઆઇ નંબર બદલવા છતાં ચોરી અથવા ગુમ થયેલા ફોન પર તમામ પ્રકારની સેવાઓ બંધ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "હવે સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, જાણો શું કરવાનું રહેશે ?"

Leave a comment

Your email address will not be published.


*