12 વર્ષના બાળકના ટુકડે ટુકડા કરી ખેતરમાં ફેંકી દીધા- જાણો ક્યાં બની આ કાળજું કંપાવતી ઘટના

આગ્રા (Agra)ના ફતેહાબાદ(Fatehabad) શહેરના કસાઈ ગામમાંથી શુક્રવારે ગુમ થયેલા 12 વર્ષના ધીરજની હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે છોકરાનું કપાયેલું માથું ઘરથી 300 મીટર દૂર…

આગ્રા (Agra)ના ફતેહાબાદ(Fatehabad) શહેરના કસાઈ ગામમાંથી શુક્રવારે ગુમ થયેલા 12 વર્ષના ધીરજની હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે છોકરાનું કપાયેલું માથું ઘરથી 300 મીટર દૂર બાજરીના ખેતરમાં પડેલું મળી આવ્યું હતું. તેના હાથ અને પગના હાડકા પણ તેની પાસે જ પડ્યા હતા. પુત્રની હત્યાથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પરિવારજનોએ અદાવતના કારણે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

કસાઈ ગામના રહેવાસી ખેડૂત ગયાદીનનો 12 વર્ષીય પુત્ર ધીરજ શુક્રવારે સવારે 11 વાગે રમવા માટે ખેતરમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત ન આવતાં શોધખોળ હાથ ધરી હતી. શનિવારે ગુમ થયેલ વ્યક્તિનો પત્તો ન લાગતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રવિવારે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ છોકરાને શોધી રહી હતી. ખેતરોમાં પણ જોવામાં આવ્યું હતું, પરંતુ તે મળ્યો નહોતો.

આ પછી સોમવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ગામના કિશોરો ગયાદીનના ઘર પાસે બાજરીના ખેતરમાં રખડતા હતા. ત્યાં તેઓને ધીરજનું ટિફિન મળ્યું હતું. બાદમાં કપાયેલું માથું પણ મળી આવ્યું હતું. તે જ સમયે, કપાયેલા પગ અને હાથના હાડકાં થોડા અંતરે પડ્યાં હતાં. તેના ચપ્પલ પણ પડેલા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ધીરજની આવી હાલત જોઈ ગ્રામજનોમાં હોબાળો મચી ગયો હતો.

માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચ્યા હતા. સીઓએ કહ્યું કે છોકરાનું કપાયેલું માથું, હાથ અને પગના હાડકાં મળી આવ્યા છે. ધડ મળ્યું નથી. તેની શોધખોળ ચાલુ છે. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરિવારજનો અદાવતમાં હત્યાની વાત કરી રહ્યા છે. હત્યા અન્ય જગ્યાએ થઈ હોવાની આશંકા છે. જે બાદ મૃતદેહને અહીં ફેંકી દીધો હતો.

હત્યામાં 30 વર્ષીય અદાવત હોવાની આશંકા:
કસાઈ ગામમાંથી ગુમ થયેલા 12 વર્ષના બાળક ધીરજની હત્યા 30 વર્ષ જૂની અદાવતમાં થઈ હોવાની શક્યતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. જો કે પરિવાર અને પોલીસ હજુ કંઈ કહી રહી નથી. સીઓ ફતેહાબાદ સૌરભ સિંહે કહ્યું કે પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા દુશ્મની સહિત અન્ય મુદ્દાઓ પર પણ કામ કરી રહી છે.

56 વીઘા જમીનનો વિવાદ:
પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે ધીરજના પરદાદા રેવતી પ્રસાદે ગામમાં 56 વીઘા જમીન માટે બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ એક પક્ષે જુબાની આપી હતી. લોકો હત્યા પાછળ આ દુશ્મનાવટની આશંકા સેવી રહ્યા છે. જો કે ઈન્ચાર્જ એસએચઓ આરએન સિંહે કહ્યું કે જમીની દુશ્મનીનો મામલો સામે આવ્યો નથી. બાળકના શરીરના સમગ્ર અંગો પણ મળ્યા નથી. તેની શોધખોળ ચાલુ છે. મોડી રાત સુધી ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમો નજીકના બાજરી અને ઘાસચારાના ખેતરોમાં શોધખોળ કરી રહી હતી.

ધીરજ પાંચ ભાઈ-બહેનમાં બીજા નંબરનો હતો:
કસાઈ ગામમાં ગુમ થયેલ બાળક ધીરજ તેના પાંચ ભાઈ-બહેનોમાં બીજો હતો. સૌથી મોટો ભાઈ ધર્મેન્દ્ર (15), ત્યારબાદ ધીરજ (12) હતો. વચ્ચે બે બહેનો રેણુ અને રોશની છે. સૌથી નાનો ભાઈ છોટુ પાંચ વર્ષનો છે. ધીરજના મોતથી પરિવાર આઘાતમાં છે. પિતા ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. ધીરજના મૃત્યુથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *