ફેક ન્યૂઝ ચલાવવા પડી ગયા ભારે, આ ચેનલોએ કોંગ્રેસી નેતાને ચૂકવવા પડશે માનહાનિના ૫૦ લાખ રૂપિયા

Published on Trishul News at 12:35 PM, Thu, 9 May 2019

Last modified on May 9th, 2019 at 12:35 PM

બેંગ્લોર સીટી સિવિલ કોર્ટે ગયા મહિને કન્નડ અભિનેત્રી અને પૂર્વ સાંસદ દિવ્યા સ્પંદના દ્વારા એશિયા નેટ અને તેના સહાયક ચેનલ સુવર્ણ ન્યુઝ વિરુદ્ધ માનહાનિ નો દાવો કર્યો હતો. જેમાં ૫૦ લાખનો દાવો પાડવામાં આવ્યો હતો આ મામલે કોર્ટ દ્વારા ચુકાદો આપતા પચાસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આરોપ છે કે સુવર્ણ ન્યુઝ એ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના સટ્ટેબાજી સ્કેન્ડલ મામલે દિવ્યા સ્પંદના ને સામેલ હોવાનો દાવો કરતા એક સમાચાર ચલાવ્યા હતા. જે મામલે દિવ્યા સ્પંદના એ 2013માં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો.

૩૧ મે 2013ના રોજ પ્રસારી કે એક કાર્યક્રમમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કન્નડ ફિલ્મ ઉદ્યોગને બે અભિનેત્રીઓ આઈપીએલને પ્રભાવિત કરવાવાળા સ્પોર્ટ ફિક્સિંગ અને સટ્ટેબાજી ખોળામાં સામેલ હતી. જોકે આ સમાચારમાં સ્પંદના નું નામ લેવામાં આવ્યું નહોતું પરંતુ તેમનો ફોટો કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો.

બાર અને ભેંસની ખબર અનુસાર મામલાની સુનાવણી દરમિયાન એશિયા નેટ અને સુવર્ણ ન્યુઝ દ્વારા કહેવામાં આવ્યું કે કાર્યક્રમમાં સ્પંદનો હોય સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જેથી તેમણે સ્પંદનાની માર્કેટ વેલ્યુ પર કોઈ નુકસાન પહોંચાડયું નથી જોકે વધારાના સિટી સિવિલ અને સેશન્સ જજ પાટીલ નાગાલિંગનગૌડા દ્વારા આ દલીલનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.

કોર્ટે એવું પણ નોંધ કરી છે કે સ્પંદના આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી બ્રાન્ડ એમ્બેસેડર હતી. પરંતુ તેઓએ 2013ની સિઝનમાં ભાગ લીધો નહોતો કારણ કે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરી રહી હતી. આ મુદ્દે અલગ-અલગ ઉદાહરણો પર વિચાર કર્યા બાદ ન્યાયાલય કહ્યું આવી ચીજો પ્રસારણ કરવાથી સમાજને એક માર્ગ પર લઈ જવા માટે ના વિચાર વાળી વ્યક્તિઓના ખરાબ દેખાડવાથી એક પૂર્વ સાંસદ ની પ્રતિષ્ઠા ઓછી થઈ છે. આવું કરતી વખતે ન્યાય લઈને ખોટી જાણકારી આપીને એશિયા નેટ અને સુવર્ણ ન્યુઝ એ ખરાબ કૃત્ય કર્યું છે.

અદાલતે પોતાના હુકમમાં લખ્યું છે કે આ ન્યાયાલયનો વિચાર છે કે આ મામલે એશિયા નેટ અને સુવર્ણ ન્યૂઝ નું કાર્ય પૂરી રીતે પત્રકારિતા ની નૈતિકતાનું ઉલ્લંઘન કરે છે અને જાણી જોઈને દિવ્યા સ્પંદના અને લોકપ્રિયતાને ખતમ કરવા માટે અને તેમની ગરિમા ને બદનામ કરવા માટે ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે.

સ્પંદનાએ ચેનલો પાસે દસ કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. જોકે કોર્ટે સ્થિતિઓને ધ્યાનમાં રાખીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનું જરૂરી સમજ્યુ છે, આ સિવાય કોર્ટ દ્વારા ipl ફિક્સિંગ ના સંદર્ભમાં સ્પંદના ને લઈને આવેલી કોઇપણ ખબર પ્રકાશિત કરવા માટે કાયમી રોક લગાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ફેક ન્યૂઝ ચલાવવા પડી ગયા ભારે, આ ચેનલોએ કોંગ્રેસી નેતાને ચૂકવવા પડશે માનહાનિના ૫૦ લાખ રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*