ગણેશ મહોત્સવમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર નારાજ થઇ જશે બાપ્પા

દેશનાં ઘણાં રાજ્યોમાં આ ઉત્‍સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે  છે. ધર્મ અને જયોતિષોમાં પણ ભગવાન ગણેશની સ્થાપનાને શુભ અને મંગલકાર્ય ગણવામાં આવ્યું છે. આજે…

દેશનાં ઘણાં રાજ્યોમાં આ ઉત્‍સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે  છે. ધર્મ અને જયોતિષોમાં પણ ભગવાન ગણેશની સ્થાપનાને શુભ અને મંગલકાર્ય ગણવામાં આવ્યું છે. આજે આપણે જાણીએ છીએ કે ગણેશોત્સવનો 10 દિવસ ક્યાં કામ આપણે ન કરવા જોઈએ.

ગણેશોત્સવ દરમિયાન ભૂલથી પણ ન કરતા આ કામ
ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન, ડુંગળી-લસણ, માંસાહારી અને આલ્કોહોલ જેવું  ભોજન ભૂલથી પણ ન લેવું જોઈએ. ચતુર્થીના દિવસે આ વસ્તુઓનું સેવન ન કરો.

ચતુર્થીના દિવસે એવું કહેવામાં આવે છે કે ચંદ્ર જોવાની મનાઈ છે, જો તમે આકસ્મિક રીતે ચંદ્ર પણ જોશો તો જમીન પરથી પથ્થરનો ટુકડો ઉપાડીને પાછળની તરફ ફેંકી દો.

ભગવાન ગણેશની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા. આ દિવસે લાલ અને પીળા કપડા પહેરવા શ્રેષ્ઠ છે.આ દિવસે પતિ -પત્નીએ સંયમ રાખવો જોઈએ.ચતુર્થીના દિવસે કોઈપણ પશુ -પક્ષીને હેરાન ન કરો. ભગવાન ગણેશને પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ પ્રિય છે.

ગણપતિને તુલસી ક્યારેય ન અર્પણ કરો. નહિંતર ભગવાન ગણેશ ગુસ્સે થઈ શકે છે.ચતુર્થીના દિવસે જૂઠું બોલવું એ જીવનમાં મુશ્કેલી અને નુકસાનને આમંત્રણ આપવાનું છે. આ દિવસે ખોટું બોલવાથી ધનનું નુકસાન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *