શું તમે કલાકો સુધી કાનમા ઈઅરફોન રાખો છો?આ બીમારીનો બની શકો છો ભોગ

જો તમને કલાકો સુધી મોબાઇલ માં ઇઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાની અને વાતો કરવાની ટેવ હોય તો હવે થી ચેતી જજો,આ આદત થી તમે…

જો તમને કલાકો સુધી મોબાઇલ માં ઇઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાની અને વાતો કરવાની ટેવ હોય તો હવે થી ચેતી જજો,આ આદત થી તમે ગંભીર બીમારીનો ભોગ બની શકો છો.ઓફિસ માં કામ કરતા કરતા ગીતો સાંભળવાની ટેવ હોય અથવા વોકિંગ કરતા કાનમા ઇઅરફોન ભરાવીને વાત કરવાની ટેવ હોય.કોઈપણ વસ્તુ કે આદત માં અતિ આવી જાય તો તે નુકશાનકારક છે.ચાલી આપને જાણીએ ઈઅરફોન કઈ રીતે નુકશાન પહોંચાડે છે.

કાનમાં બહેરાશ
એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાક કરતાં પણ વધુ સમય સુધી 90 ડેસિબલ ની માત્રા થી વધુ અવાજમાં ગીત સાંભળે તો તે બહેરાપણાનો શિકાર બની શકે છે.મનુષ્યની કાનોની સાંભળવાની શ્રમતા 90 ડેસિબલ હોય છે.સતત કલાકો સુધી ગીતો સાંભળવાની આદતના કારણે કાનની સાંભળવાની શ્રમતા ઘટીને 40 થી 50 ડેસિબલ થઈ જાય છે.આવી સ્થિતિમાં વ્યકિત દૂર નો અવાજ સાંભળી શકતો નથી.

હૃદયની બીમારી
નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઇઅરફોન વધારે પડતા ઉપયોગથી ન માત્ર બહેરાશ પરંતુ હૃદયને પણ નુકશાન પહોંચે છે.વધારે અવાજે ગીતો સાંભળીએ કે વાતો કરીએ તો હૃદયના ધબકારા વધી જાય છે. હૃદય સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકે છે.આ કારણ થી હૃદય ની બીમારી થાય છે.

માથાનો દુખાવો
ઈઅરફોનમાંથી નીકળતી વિધુત ચુંબકીય તરંગો ની અસર વ્યકિતના મગજ પર થાય છે.સતત ઈઅરફોન ભરાવીને વાતો કરવી કે ગીતો સાંભળવાની આદતોના કારણે માથાનો દુખાવો થાય છે કે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે.ઘણા લોકોને ઇઅરફોન ભરાવીને ફિલ્મો કે સિરીઝો જોવાની આદત છે તમને પણ તો અનિદ્રા ની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *