ગુજરાતમાં નવું એક આંદોલન ઉભૂ થવાના એંધાણ- રૂપાણી સરકારના દાંત ખાટા કરશે શિક્ષિત બેરોજગારો

ગુજરાતની પાણી વગરની રૂપાણી સરકાર છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષિત યુવા બેરોજગારોની સાથે જાણે મજાક કરી રહી હોય તેવું ચિત્ર હવે ધીમે ધીમે ઉપસી રહ્યું…

ગુજરાતની પાણી વગરની રૂપાણી સરકાર છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષિત યુવા બેરોજગારોની સાથે જાણે મજાક કરી રહી હોય તેવું ચિત્ર હવે ધીમે ધીમે ઉપસી રહ્યું છે, ત્યારે વિવિધ સમાજના શિક્ષિત બેરોજગારો દ્વારા બનાવેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા યુવાનોની વેદનાને વાચા આપવા માટે આંદોલન-1 ના ભાગરૂપે ગુજરાતની વિવિધ સમાજની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે ગઈકાલે શનિવાર ને 1 august 2020 ના રોજ દિનેશ બાંભણીયા, યુવરાજસિંહ જાડેજા અને SPG ના લાલજી પટેલ ની આગેવાનીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ ઉમિયામાતા સંસ્થાનની મુલાકાત લીધી હતી અને માતાજીના દર્શન કરીને સંસ્થાના આગેવાનો ને આવેદનપત્ર આપ્યું હતું.

શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોની વેદના ઉમિયામાતા સંસ્થાનના આગેવાનો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો આજે કોઈને કોઈ રીતે પીડાઈ રહ્યા છે.

અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોએ બેકારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાના કિસ્સા પણ અવારનવાર બનવા પામ્યા છે, ત્યારે આ યુવાનોની વેદનાને સમાજની અગ્રણી સંસ્થાઓ દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જો સરકાર શિક્ષિત બેરોજગારોની વેદનાને નહીં સાંભળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું પણ શિક્ષિત બેરોજગાર સમિતિએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *