દિલ્હીમાં ચુંટણી ઢંઢેરા સિવાય આપ્યું આ ગેરેંટી કાર્ડ, ચાલુ રેહશે આપેલી સુવિધા

Published on Trishul News at 2:06 PM, Mon, 20 January 2020

Last modified on January 20th, 2020 at 2:06 PM

દિલ્હી 2020ની વિધાનસભાની ચૂંટણી જીતવા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે દસ વચનો સહિતનું ‘ગેરન્ટી કાર્ડ’જાહેર કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે બસની મુસાફરી મફત અને યુવતીઓને છેડતી રોકવા મોહલ્લા માર્શલો ગોઠવાશે.

કેજરીવાલની દસ ગેરન્ટીઓ” શીર્ષક હેઠળ પાંચ વર્ષમાં પણ 200 યુનિટ સુધી મફત વીજળી યોજના ચાલુ રાખવા, મફત આરોગ્ય  સુવિધાઓ, બે કરોડ વૃક્ષો વાવવા છોડની વહેંચણી, યમુના નદીની સફાઇની કામગીરી અને દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો કરવાના વચન આપવામાં આવ્યા હતા. હું દિલ્હીવાસીઓને દસ ગેરન્ટીઓ આપુું છું. આ કોઈ ચૂંટણી ઢંઢેરો નથી.

“અમે સાત કે દસ દિવસમાં એક સર્વગ્રાહી ઢંઢેરો બહાર પાડીશું. અમારા ઢંઢેરામાં આના કરતાં પણ વધારે બાબતોનો સમાવેશ થશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વધારે સુવિધાઓ હશે. આ સુવિધાઓ દરેક વ્યક્તિ માટે હશે” તેવું કેજરીવાલે જણાવ્યું હતું.

તેમણે આગળ બોલતા કહ્યું કે “વિરોધ પક્ષો કહે છે કે અમારી અનેક યોજનાઓ 31 માર્ચ સુધી જ અમલી રહેશે, એટલા માટે હું આ ગેરેંટી આપું છું કે આગામી પાંચ વર્ષ સુધી પણ અમારી યોજનાઓ અમલમાં જ રહેશે.”

“24 કલાક વિજળી પુરી પડાશે અને 200 યુનિટ સુધી મફત વિજળી આપવાનું ચાલુ જ રહેશે.” તેમના ગેરન્ટી કાર્ડમાં 11000 કરતાં વધુ બસો અને દિલ્હી મેટ્રોના નેટવર્કની લંબાઇ 500 કિમી કરતાં પણ વધુ કરવાના વચનો અપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "દિલ્હીમાં ચુંટણી ઢંઢેરા સિવાય આપ્યું આ ગેરેંટી કાર્ડ, ચાલુ રેહશે આપેલી સુવિધા"

Leave a comment

Your email address will not be published.


*