ઢબૂડી મા બની કરોડો રૂપિયા બનાવનાર ઢોંગીનો ફોટો આવ્યો સામે. જાણો કેવી રીતે બન્યો ઢબૂડી મા ?

હાલમાં ગુજરાતમાં જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે તે ઢબૂડી મા નો અસલી ચહેરો આવ્યો સામે. ઢબૂડી મા બની લોકોને લુટનારનું નામ ધનજી ઓડ છે.…

હાલમાં ગુજરાતમાં જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે તે ઢબૂડી મા નો અસલી ચહેરો આવ્યો સામે. ઢબૂડી મા બની લોકોને લુટનારનું નામ ધનજી ઓડ છે. જેનો અસલી ચહેરો આવ્યો છે સામે. આ ફોટો હાલમાં ખુબ જ વાઈરલ થયો છે.

રીક્ષા ચલાવનાર ધનજી ઓડ જાણો કઇ રીતે બની બેઠો ઢબુડી માતા ?

ગુજરાતના લોકોમાં ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતા અને લોકોને લૂંટતા ધનજી ઓડનાં આ ધંધાનો પર્દાફાશ થઇ ચુક્યો છે. ગાંધીનગર નજીક આવેલા રૂપાલનો રહેવાસી ધનજી ઓડનો દાવો છે કે, તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ રહી છે. તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપે છે. લોકોની બીમારી, નોકરી , લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. અને લોકોના રોજ બરોજના પ્રશ્નોના નિરાકરણ લાવી આપે છે.

ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યુ છે. તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજયના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યારબાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોચે છે જયાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ઘુણવા લાગે છે. ભક્તો એવા દાવાઓ કરે છે કે, કેન્સર જેવા રોગોને પણ આ ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતો ધનજી ઓડ મટાડી આપે છે.

પોલીસ અધિકારીઓ, રાજકીય નેતાઓ, પૈસાદાર વ્યક્તિ, અને નામાંકિત વ્યક્તિઓથી લઇને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના પણ ધનજી ઓડના ભક્ત છે. આવા ભક્તોથી જ ધનજી ઓડ તેની દુકાન ચલાવે છે. માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતો વ્યક્તિ ભક્તોએ ધરેલા પૈસાથી જ આજે હાથમાં દસ સોનાની વીંટી અને કાંડામાં સોનાની સાકળ પહેરે છે. જેની પાસે એક દિવસના હજારથી બે હજાર કમાવવાની ક્ષમતા ન હતી તે આજે ફોર્ચ્યુંનર કારમાં ફરે છે. આટલુ જ નહીં. ઢબુડીમાંના નામે લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવતા ધનજી ઓડ લોકોના પૈસાથી વૈભાવી બંગલો ઉભો કરી લીધો છે. ધનજી ઓડનો બંગલો બહારથી બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નત જેવો જ બહારથી દેખાય છે. આ બંગલો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલો છે.

પોતાને ઢબુડી માતા માતા કહેતો ધનજી ઓડ થોડા વર્ષો પહેલા પલ્લી ગામના મેળામાં છૂંદણા બનવાનું કામ કરતો હતો અને સાત વર્ષ પહેલા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન માંડ ચલાવતો હતો. અચાનક ધનજી ઓડને માતાજીની કૃપા થઇ હોવાના બહાને પોતાની એક ટોળકી બનાવી પોતાનો પ્રચાર કરીને અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કર્યું હતું અને આમાં તેમે ખૂબ મોટી સફળતા મળી થોડા સમયમાં તેના હજારો ભક્તો થઇ ગયા. ધનજી ઓડ ઢબુડી માતા બન્યા પછી પૈસા દાર બનવા લાગ્યો અને રીક્ષામાંથી સીધો વૈભવી કારમાં ફરવા લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *