માનસિક સ્વાસ્થ માટે શ્રેષ્ઠ છે Facebook, જાણો કેવી રીતે ?

જો તમે નિયમિતરૂપે ફેસબુકનો પણ ઉપયોગ કરો છો, તો તમે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ થવાની શક્યતાઓ 1.63 ટકા ઓછી થઇ જાય છે.…

જો તમે નિયમિતરૂપે ફેસબુકનો પણ ઉપયોગ કરો છો, તો તમે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ થવાની શક્યતાઓ 1.63 ટકા ઓછી થઇ જાય છે. તાજેતરના એક અભ્યાસમાં, સંશોધકોએ જણાવ્યું હતું કે ફેસબુક જેવી ઘણી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનનો ઉપયોગ કરવાના ફાયદા પણ છે અને કેટલાક નુકસાન પણ છે. પરંતુ તેનું હકારાત્મક પાસુ હવે બહાર આવી ગયું છે કે ફેસબુકના ઉપયોગથી પુખ્ત વયના લોકોનું માનસિક આરોગ્ય વધુ સારું રહે છે.

ડિપ્રેસન જેવી માનસિક મનોવિજ્ઞાનિક સમસ્યાઓ:

મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા આ અભ્યાસ મુજબ, નિયમિત ધોરણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી પુખ્ત વયના લોકોનું માનસિક આરોગ્ય સુધરે છે. સાથે જ એન્ટીઓબીટીસ, ડિપ્રેશન જેવી ગંભીર મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સામે લડવામાં પણ મદદ મળે છે.

મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં મીડિયા અને માહિતીના પ્રોફેસર કીથ હેમ્પટને જણાવ્યું છે કે કોમ્યુનિકેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયા જેવા કેટલાય પ્લેટફોર્મની મદદથી રિલેશનશિપને જાળવવી વધુ સરળ બને છે. આ ઉપરાંત, આરોગ્ય સંબંધિત માહિતી પણ એકત્રિત કરી શકાય છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા 63% લોકોમાં ગંભીર મનોવૈજ્ઞાનિક માંદગી અનુભવવાનું જોખમ 1 વર્ષથી બીજા વર્ષે ઓછુ થતું જાય છે.

તેમાં ડિપ્રેશન અને ગંભીર એંગ્જાઇટી જેવી સમસ્યાઓ પણ શામેલ છે.

આ અભ્યાસના પરિણામો જર્નલ ઓફ કોમ્પ્યુટર મેડિએટેડ કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયા છે.

આ અભ્યાસ એ વાતને પડકારે છે કે સોશિયલ મીડિયા, મોબાઇલ ટેકનોલોજી અને ઇન્ટરનેટથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *