ગુજરાતમાં ખાતરના ભાવ વધારા મુદ્દે કૃષિ મંત્રી ફળદુએ કર્યો મોટો ખુલાસો, જાણો 1 માર્ચથી ભાવ વધશે કે નહીં?

Published on Trishul News at 3:07 PM, Sat, 27 February 2021

Last modified on February 27th, 2021 at 3:07 PM

હાલમાં ગુજરાત રાજ્યમાં ખાતર ભાવ વધારા અહેવાલને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.1 માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવશે, એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોંગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાર જોઈ ગયેલ કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી.

ફળદુએ જણાવ્યું કે, 26/2/2021ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં 1 માર્ચ 2021થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂપિયા 1200/બેગથી વધી રૂપિયા 1500/બેગ તેમજ એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂપિયા 1175/બેગથી વધીને રૂપિયા 1400/બેગ થવાનાં છે તે અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવી કે, જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આવતી 1 માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ?

મંત્રીએ આ અંગે જાણકારી મેળવીને ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, તા 26/2/2021ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ 1 માર્ચ 2021થી ડીએપી તથા એનપીકે ખાતરઓમા ભાવ વધારા અંગેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે જ કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ગુજરાતમાં ખાતરના ભાવ વધારા મુદ્દે કૃષિ મંત્રી ફળદુએ કર્યો મોટો ખુલાસો, જાણો 1 માર્ચથી ભાવ વધશે કે નહીં?"

Leave a comment

Your email address will not be published.


*