રસોડામાં રહેલી આ સાત વસ્તુના સેવનથી રાતોરાત ઘટી જશે તમારું વજન

આપણે બધા જાણીએ છીએ કે વજન ઘટાડવાની સફરમાં તમારા ઘરનું રસોડું ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણા રસોડામાં સામાન્ય…

આપણે બધા જાણીએ છીએ કે વજન ઘટાડવાની સફરમાં તમારા ઘરનું રસોડું ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણા રસોડામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા પણ આપણને વજન ઘટાડવામાં મદદરૂપ બંને છે. હા, એવા ઘણા મસાલાઓ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તો આપને આજે તેમના વિશે જાણીએ…

હળદર: હળદરમાં એન્ટિબાયોટિક ગુણ મોજુદ હોય છે, જેના કારણે તેને દૂધમાં પીવાથી ઘણા ફાયદાઓ થાય છે, તે બેક્ટેરિયા વિરોધી અને બળતરા વિરોધી કામ કરે છે, તેના સેવનને કારણે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જેના કારણે પાચનતંત્ર સરખી રીતે કામ કરે છે, ચયાપચય વધે છે.

તજ: સવારે પાણી સાથે તજ પીવાથી મેટાબોલિક રેટ વધે છે, તેથી તેના દ્વારા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ ઇન્સ્યુલિન પ્રતિરોધક હોય, તો તેના દ્વારા ખાવામાં આવેલા કાર્બોહાઇડ્રેટ્સને તજ તોડી નાખે છે અને તેને પીવાથી વજન વધવાની સમસ્યા ઉત્પન્ન નથી થતી.

વરીયાળી: વરિયાળીનો ઉપયોગ આપણા ખોરાકની સાથે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તેને લેવાનો ફાયદો એ છે કે તેનાથી ભૂખ લાગતી નથી અને તમે ઉટ-પલત ખાવાનું ટાળો છો, સુબર વરિયાળીનું પાણી અથવા વરિયાળીની ચા લઈ શકાય છે.

જીરું: આજના ડાયેટિશિયનો ઘણીવાર જીરાના પાણીની સલાહ આપતા જોવા મળે છે. ખરેખર તો તેનો ઉપયોગ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. આખી રાત પાણીમાં એક ચમચી જીરું પલાળી સવારે આ પાણી પીવાથી ઝડપથી વજન ઘટે છે.

મેથી: મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી તૃપ્તિનો અનુભવ થાય છે અને તેના કારણે ભૂખ લાગવાની સમસ્યા ઉત્પન્ન નથી થતી, મેથી તમને સંતોષની લાગણી આપે છે અને તેને ખાવાથી તમને જલ્દી ખોરાક ખાવાનું મન નથી થતું અને વજન ઓછું થાય છે.

એલચી: રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે એલચી લેવાથી મેટાબોલિક રેટ વધે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં મેલાટોનિન હોય છે જે મેટાબોલિક રેટ વધારે છે, જે ઝડપથી ચરબી બર્ન કરવાનું કામ કરે છે અને તે તમારા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

કાળા મરી: ઉધરસ અને શરદીના કફને દૂર કરવા સુધી, કાળા મરીના ઘણા ફાયદા છે. તેવી જ રીતે, તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે, તમે તેને સલાડ અથવા ફળો પર નાખીને પણ તેનું સેવન કરી શકો છો. અથવા તમે તેને ગ્રીન ચા અને હળદર વાળા દૂધ સાથે પણ તમે તેને લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *