સુરતમાં રત્નકલાકારોના હિત માટે લડતા રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કરી આત્મહત્યા

હાલમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન ખુલ્યું છે. પરંતુ ધંધા-રોજગાર સારી રીતે ચાલી રહ્યા નથી. અને લોકો દિવસેને દિવસે આર્થિક મંદીનો ભોગ બની રહ્યા છે.…

હાલમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન ખુલ્યું છે. પરંતુ ધંધા-રોજગાર સારી રીતે ચાલી રહ્યા નથી. અને લોકો દિવસેને દિવસે આર્થિક મંદીનો ભોગ બની રહ્યા છે. એવામાં લોકોની સમસ્યાઓ માટે જયસુખ ગજેરા, જે સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ છે તેઓ હંમેશા આગળ રહેતા હતા.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી લીધી છે. કામરેજના આંબોલી ખાતે તાપી નદીના બ્રિજ પરથી કૂદી જઈ તેમણે આત્મહત્યા કરી છે.

મળતી જાણકારી અનુસાર, ગઈકાલે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ તેમણે કામરેજના આંબોલી ખાતે તાપી નદી પર બનેલા બ્રિજ પરથી કૂદી જઈ આત્મહત્યા કરી હતી. આજે કઠોર ગામના તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

જો કે આત્મહત્યા પાછળ કયું કારણ શું હતું તે હજુ જાણવા મળી રહ્યું નથી. જેની પોલીસ તપાસ કરી રહી છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી. તેમેણે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. પરંતુ આ વાતને હજી સુધી પ્રમાણીતતા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *