ઉઘરાણી બાબતે બબાલ થતા છરીના ઘા મારી કરી હત્યા- હત્યાનો live વિડીયો CCTV માં કેદ

Published on Trishul News at 5:06 PM, Wed, 21 July 2021

Last modified on July 21st, 2021 at 5:06 PM

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય લોકો ઊંચા વ્યાજના ચક્કરમાં ફસાતા હોવાના ઘણા બનાવ જોવા મળ્યા છે. વ્યાજના ચક્કરમાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેવા અનેક બનાવ સામે આવ્યા છે. પરંતુ શહેરમાં હવે એક લેણદાર જ ઉઘરાણી કરવા જતા મોતનો ભોગ બન્યો છે. ઉઘરાણી માટે ગયેલા ફાઇનાન્સરને દેણદારે રૂપિયા આપવાની જગ્યાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. તેના કારણે વ્યક્તિનું મોત થયું હતું. હાલ ખોખરા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે ફાઇનાન્સરની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતી કે, જે વ્યક્તિની લાશ મળી આવી છે, તેનું નામ બાલા સુબ્રમણ્યમ ઉર્ફ મણી છે.

બાલા ફાઇનાન્સર હતો અને વ્યાજે રૂપિયા આપતો હતો. તે પોતાની ઉઘરાણીના રૂપિયા લેવા માટે બુધવારે સવારે એક વ્યક્તિ પાસે પહોંચ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થતા દેણદાર ઉશ્કેરાઈ ગયો અને બાલાને ચાર-પાંચ છરીના ઘા માર્યા હતા. જેને કારણે બાલાનું મોત થયું હતું. હત્યા કર્યા પછી આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ઉઘરાણી બાબતે બબાલ થતા છરીના ઘા મારી કરી હત્યા- હત્યાનો live વિડીયો CCTV માં કેદ"

Leave a comment

Your email address will not be published.


*