સોમવારથી ખુલશે ગુજરાતના મોલ અને મંદિર-મસ્જિદ અને હોટેલ- જાણો કયા નિયમો પાલન કરીને જઈ શકશો

ગાંધીનગર, તા. ૬ જુન: કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ૮ તારીખ ને સોમવારથી શરતોને આધીન મોલ ખુલશે, મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરન્ટ સરકારની ગાઈડ લાઈન અનુસાર…

ગાંધીનગર, તા. ૬ જુન: કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ૮ તારીખ ને સોમવારથી શરતોને આધીન મોલ ખુલશે, મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરન્ટ સરકારની ગાઈડ લાઈન અનુસાર આ બધુ ખુલી રહ્યુ છે. મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે. પરંતુ ભાવિકોને પ્રસાદ નહિ મળે

શું હશે નિયમો:

શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહિ શકે અને ચરણામૃત પણ નહિ લઈ શકે. પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે.

લોકોને ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ અને મોલમાં છ ફુટનુ અંતર, મોઢા પર માસ્ક, સેનીટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.

ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે. ભાવિકો ઘંટ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળોમાં જનારને ફોનમાં આરોગ્ય સેતૂ એપ રાખવી પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને બીજા લોકોએ ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવું પડશે.

સોમવારથી ધાર્મિક સ્થળો, હોટલો, મોલ્સ ફરી ધમધમશે. તમામ જગ્યાએ સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્કનું ફરજીયાત પાલન કરવુ પડશે. મંદિરોમાં પ્રસાદ નહિ મળે, ભાવિકો ઘંટ વગાડી નહિ શકે. ભગવાનને સ્પર્શ નહિ કરી શકાય. શોપીંગ મોલ્સ, હોટલ, રેસ્ટોરન્ટને લઈને આકરી ગાઈડ લાઈન. ભીડ એકઠી થવા નહિ દેવાય. મોલ્સમાં દુકાનો ખુલશે પરંતુ સિનેમા ઘરો નહિ ખુલે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *