શહીદ થયેલા જવાનની બહેનના લગ્નમાં ભાઈ બન્યા આ બીજા સાથી જવાન મિત્રો, જાણો વધુ

બિહારના એક ગામમાં યોજાયેલ લગનમાં ત્યારે બધાની આંખમાં આંસુ સાથે હર્ષ અને ગર્વ છલકાઈ રહ્યા હતા. જ્યારે ભારતના ઈલિટ કમાન્ડોઝ ગણાતા ગરુડ કમાન્ડો ફોર્સના શહીદ…

બિહારના એક ગામમાં યોજાયેલ લગનમાં ત્યારે બધાની આંખમાં આંસુ સાથે હર્ષ અને ગર્વ છલકાઈ રહ્યા હતા. જ્યારે ભારતના ઈલિટ કમાન્ડોઝ ગણાતા ગરુડ કમાન્ડો ફોર્સના શહીદ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના લગ્નને તેના સાથી જવાનોએ યાદગાર બનાવી દીધા. શશીકલાને તેના શહીદ ભાઈની યાદ અને લગ્નમાં તેની કમી ન વર્તાય તે માટે શહીદ ભાઈના મિત્રોએ ‘ભાઈ’ બનીને ફરજ બજાવી હતી.

મહત્વનું છે કે આ જવાનોએ સમગ્ર લગ્નમાં હાજરી આપી તેટલું જ નહીં પરંતુ તેના લગ્નમાં દરેક વિધિ-વિધાનમાં ભાગ લીધો હતો. શહીદ નિરાલાના ગામમાં અનોખો રિવાજ છે, જેમાં ભાઈ તેની બહેન માટે જમીન પર હાથ રાખે છે, તે હાથ પર ચાલીને તેની બહેન સાસરે જવા માટે ઘરેથી વિદાય લે છે. શહીદની બહેન શશીકલાનાં લગ્ન સુજીત કુમાર સાથે થયાં છે. તેની વિદાય વખતે તેના ભાઈના મિત્રો લાઈનમાં જમીન પર હાથ મૂકીને ગોઠવાઈ ગયા હતા. શશીએ ભાઈને યાદ કરીને અશ્રુભીની આંખે તેમના હાથ પર ચાલીને વિદાય લીધી હતી.

તમને જણાવી દઈએ કે ગરુડ કમાન્ડોઝ ફોર્સ ઇન્ડિયન એર ફોર્સનું જ ખાસ ટ્રેનિંગ પામેલું કમાન્ડો યુનિટ છે. શહીદ જ્યોતિ ઇન્ડિયન એર ફોર્સનાં બહાદુર જવાન હતા. તેઓ 31 વર્ષની ઉંમરે વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં કાશ્મીરમાં બાંદીપોરામાં આતંકીઓ સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા.

કન્યાના પિતા તેજનારાયણ સિંહે જણાવ્યું છે, મારી દીકરીનાં લગ્ન મને આખી જિંદગી યાદ રહેશે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે, મારા શહીદ દીકરાના મિત્રો શશીકલાના લગ્નમાં આવશે. તે બધાએ લગ્ન દરમિયાન અમને એક સેકન્ડ માટે પણ જ્યોતિની કમી અનુભવવા દીધી નહોતી. હું જ્યોતિના તમામ દોસ્તોનો આભારી છું. વર્ષ 2018માં પ્રજાસત્તાક દિવસના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ કમાંડો જ્યોતિનું અશોક ચક્ર તેમનાં પત્ની અને માતાને આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *