ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિવસ પર કર્યું 60 હજાર કરોડ રૂપિયાનું દાન- જાણો કોની પાછળ વપરાશે આ રૂપિયા?

Published on Trishul News at 12:56 PM, Fri, 24 June 2022

Last modified on June 24th, 2022 at 12:56 PM

ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman) અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ(The richest man in Asia) ગૌતમ અદાણી(Gautam Adani), વિશ્વના ટોપ-10 સૌથી ધનિક લોકોમાં 24 જૂન, શુક્રવારે 60 વર્ષના થયા છે. આ અવસર પર તેણે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દાનમાં આપવાની જાહેરાત કરી છે. 1991 સુધી અદાણીનું નામ રાષ્ટ્રીય સ્તરે પણ જાણીતું નહોતું, માત્ર 20 વર્ષમાં તેણે પોતાનો બિઝનેસ દેશ અને દુનિયામાં ફેલાવ્યો.

અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું છે કે તેઓ તેમની સંપત્તિમાંથી $7.7 બિલિયન (લગભગ 60 હજાર કરોડ રૂપિયા) સામાજિક કાર્યો માટે દાન કરશે. તેમના દ્વારા દાન કરવામાં આવેલી આ રકમ ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી દાન રકમમાંની એક છે.

અદાણીએ તેમના જન્મદિવસ અને પિતાની 100મી પુણ્યતિથિ પર આટલી મોટી રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દાનમાં આપવામાં આવનારી આ રકમનો ઉપયોગ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધિત કાર્યો માટે કરવામાં આવશે.

ગૌતમ અદાણી લાંબા સમયથી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. હાલમાં તેઓ વિશ્વના આઠમા સૌથી અમીર વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ $92.7 બિલિયન હતી.

દેશના સૌથી મોટા દાતાઓની વાત કરીએ તો વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીનું નામ આ મામલે પ્રથમ સ્થાને આવે છે. એક રિપોર્ટ અનુસાર પ્રેમજીએ નાણાકીય વર્ષ 2021માં 9,713 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી વિપ્રો ચીફ આ યાદીમાં ટોચ પર છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના મોટા ઉદ્યોગપતિઓની વાત કરીએ તો, અઝીમ પ્રેમજીએ રૂ. 18,070 કરોડ, શિવ નાદર રૂ. 2,884 કરોડ, મુકેશ અંબાણીએ રૂ. 1,437 કરોડ, કુમાર મંગલમ બિરલાએ રૂ. 732 કરોડ અને નંદન નિલેકણીએ રૂ. 546 કરોડનું દાન આપ્યું છે.

અન્ય ઘણા મોટા ભારતીય ઉદ્યોગપતિઓ સામાજિક કાર્ય માટે દાનમાં સામેલ છે. અનિલ અગ્રવાલે ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. 458 કરોડ, હિન્દુજા ગ્રૂપે રૂ. 351 કરોડ, બજાજ જૂથે રૂ. 341 કરોડ અને ગૌતમ અદાણીએ તાજેતરની જાહેરાત પહેલાં રૂ. 302 કરોડનું દાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિવસ પર કર્યું 60 હજાર કરોડ રૂપિયાનું દાન- જાણો કોની પાછળ વપરાશે આ રૂપિયા?"

Leave a comment

Your email address will not be published.


*