તાજેતરમાં જ થઈ હતી સગાઈ, એક વર્ષ પછી હતા લગ્ન – એવું તો શું દુઃખ આવી પડ્યું કે યુવતીએ કરી લીધો આપઘાત

રાજકોટ(Rajkot): શહેરનાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી ભૂમિકા કિરણભાઈ સુવાડિયા નામની 18 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત(Suicide) આણ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભૂમિકા ત્રણ…

રાજકોટ(Rajkot): શહેરનાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી ભૂમિકા કિરણભાઈ સુવાડિયા નામની 18 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત(Suicide) આણ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભૂમિકા ત્રણ બહેન એક ભાઈમાં નાની હતી તેમજ ગઈકાલે તેમના પિતા વિરમગામ નજીક દર્શન કરવા માટે ગયા હતા અને જયારે માતા મંગળવારીમાં કપડા વેચવા માટે ગઈ હતી તેમજ ભાઈ પણ કામે ગયા હતા.

મહત્વનું છે કે, ગઈકાલે તેમનો ભાઈ ઘરે આવ્યો ત્યારે બહેન ભૂમિકા ગળાફાંસો ખાઈને લટકતી હાલતમાં જોવા મળી હતી. ભૂમિકાએ સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારે જણાવ્યા અનુસાર, તાજેતરમાં તેમની સગાઈ થઈ ગઈ હતી અને એક વર્ષ પછી લગ્ન નક્કી હતા. તે અગાઉ ભૂમિકાએ અચાનક આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં આણંદપરમાં રહેતાં કડવીબેન કળવાભાઇ ડોડીયા નામના 70 વર્ષના વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે પરિવારજનોએ જણાવતા કહ્યું હતું કે, મૃતક લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં જેનાથી કંટાળી તેમના પૌત્રએ આર્મીની તૈયારી કરવા માટે ઘરના ફળિયામાં પુસઅપ માટે પાઇપ લગાવવામાં આવ્યો હતો.

જેમાં દોરડુ બાંધીને અંતિમ પગલું ભરી જીવનનો અંત આણી લીધો હતો. મૃતક વ્યક્તિને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ કુવાડવા રોડ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *