ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન

01 ડિસેમ્બર ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ અને જાણીતા વકીલ અભય ભારદ્વાજની બે મહિનાથી કોરોનાની સારવાર થઈ રહી હતી. આજે તેમનું ચેન્નઇની હૉસ્પિટલમાં કોરોના સામેની જંગમાં…

01 ડિસેમ્બર ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ અને જાણીતા વકીલ અભય ભારદ્વાજની બે મહિનાથી કોરોનાની સારવાર થઈ રહી હતી. આજે તેમનું ચેન્નઇની હૉસ્પિટલમાં કોરોના સામેની જંગમાં નિધન થઈ ગયું છે. શ્રી ભારદ્વાજ આ વર્ષે રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

તેમને ગત 31 ઓગસ્ટે કોરોના ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સલાહથી સરકારી ક્ષેત્રની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સ્થિતિ વધુ વણસી જતા ઓક્ટોબરમાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક અઠવાડિયામાં તે ગુજરાતના બીજા રાજ્યસભાના સાંસદનું નિધન છે. આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું પણ કોરોના ચેપને લીધે ગત રોજ અવસાન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભય ભારદ્વાજના નિધન પર સંવેદનાઓ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, “અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા. આપણે તેમને ગુમાવ્યા તે ખૂબ જ દુઃખની બાબત છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *