આમલી ડેમમાં ડૂબેલા મૃતકોના પરિવારને ગુજરાત સરકારે જાહેર કરી આર્થિક સહાય, મળશે આટલા લાખ રૂપિયા

સુરત(Surat): સુરત જિલ્લાના માંડવી(Mandvi) તાલુકાના દેવગીરી(Devagiri) ગામના આમલી ડેમ(Aamli Dam)માં ગત તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૧૦ વ્યક્તિઓ અકસ્માતે ડૂબી ગયા હતા. જેમાંથી…

સુરત(Surat): સુરત જિલ્લાના માંડવી(Mandvi) તાલુકાના દેવગીરી(Devagiri) ગામના આમલી ડેમ(Aamli Dam)માં ગત તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૧૦ વ્યક્તિઓ અકસ્માતે ડૂબી ગયા હતા. જેમાંથી ૭ વ્યક્તિઓનું કરુણ મોત નીપજયું હતું, જ્યારે ૩ લોકોને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનાના મૃતકો જ પરિવારનું ભરણપોષણ કરનાર મુખ્ય વ્યક્તિઓ હોવાથી તેમના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને આર્થિક સહાય આપવા અંગે અસરકારક રજૂઆત કરાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ સાનુકુળ પ્રતિભાવ આપતાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકોના પરિવારને રૂ.૪ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. આ બદલ દેવગીરીના ગ્રામજનો અને મૃતકોના પરિવારજનોએ જાગૃત્ત જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *