ધોળા દિવસે આ કોંગ્રેસના નેતાની થઇ હત્યા, જાણો અહીં.

હરિયાણાના ફરિદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્ત વિકાસ ચૌધરીની ધોળાં દિવસે હત્યા થઇ છે. સેક્ટર -9 માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને…

હરિયાણાના ફરિદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્ત વિકાસ ચૌધરીની ધોળાં દિવસે હત્યા થઇ છે. સેક્ટર -9 માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ધોળાં દિવસે થયેલી આ હત્યા પછીથી ફરિદબાદ પોલીસ કાર્યવાહીમાં લાગી ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું . ફાયરિંગ તે સમયે થયું જ્યારે વિકાસ પોતાની ગાડીથી જીમ જઇ રહ્યો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજ જોવા સાથે હુમલાખોરોની શોધ કરવામાં લાગી ગઇ છે.


ફરિદાબાદમાં ગુરૂવારની સવારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. બે હુમલાખોરોએ વિકાસને જીમની બહાર આઠથી દસ ગોળીઓ મારી. હુમલાને અંજામ આપ્યા બાદ હમલવારો કારમાં ભાગી ગયા. ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેમની બહાર કારમાંથી ઉતરતાની સાથે જ હુમલાખોરોએ વિકાસને ઘણી ગોળીઓ મારી.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સવારના લગભગ નવ વાગ્યે આજુબાજુની છે. વિકાસ અહીંયા સેક્ટર 9 માં આવેલા જીમમાં પહોંચ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા..

વિકાસને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવર નો ખાસ માનવામાં આવે છે.
ઘણા વર્ષો સુધી સક્રિય એવા વિકાસ રાજનીતિમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન વિકાસના ઘણા દુશ્મનો પણ બની ગયા તેઓને આ વાતની ખબર પણ હતી. આથી તેઓ પોતાની સાથે હંમેશા પોતાના ત્રણથી ચાર સુરક્ષાકર્મીઓ રાખતા હતા.

આ પ્રદેશમાં જંગલરાજ.

હરિયાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક એ કહ્યું કે પ્રદેશમાં જંગલરાજ ચાલી રહ્યું છે. બદમાશોને કાનુનો કોઈ પણ ભય નથી.કાલે પણ આ રીતની જે ઘટના બની હતી જેમાં છેડખાની નો વિરોધ કરવા ઉપર એક મહિલાને ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી.

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું.


રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે કે ફરિદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તા અને નેતા વિકાસ ચૌધરી ની હત્યા નિંદાત્મક શરમજનક ઘટના છે આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. આ હરિયાણામાં બગડતી કાનૂન વ્યવસ્થા નો અરીસો છે. પ્રભુ તેમની આત્માને શાંતિ અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *