ભૂતિયા રેલવે સ્ટેશન: સરકાર પણ માને છે કે અહીં ભૂત છે! જાણો 42 વર્ષથી બંધ આ રેલ્વે સ્ટેશનની રહસ્યમય કહાની 

પશ્ચિમબંગાળ: ભારતમાં એવા ઘણા સ્થળો છે જેની પાછળ ઘણા રહસ્ય પણ હોય છે. આ ઉપરાંત, ભારતના કેટલાક રેલ્વે સ્ટેશન પણ એવા છે જેમની કહાની રોચક…

પશ્ચિમબંગાળ: ભારતમાં એવા ઘણા સ્થળો છે જેની પાછળ ઘણા રહસ્ય પણ હોય છે. આ ઉપરાંત, ભારતના કેટલાક રેલ્વે સ્ટેશન પણ એવા છે જેમની કહાની રોચક છે. જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. જાણવા મળ્યું છે કે, પશ્ચિમ બંગાળનું બેગુનકોડોર રેલ્વે સ્ટેશન પણ આવા જ કિસ્સાના કારણે 42 વર્ષ સુધી બંધ રહ્યુ હતું. પેરાનોર્મલ એક્ટિવીટીની ચર્ચા કાયમ થતી હોય છે અને તેની ચર્ચા થાય એટલે લોકોના મગજમાં જુના કિલ્લા અને ઈમારતોની તસ્વીરો આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે ભારતમાં એવા પણ કેટલાક રેલ્વે સ્ટેશન છે જેનો સંબંધ ભૂતો સાથે છે.

જેમાંથી સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય તો તે બેગુનકોડોર રેલ્વે સ્ટેશન છે. જે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં આવેલું છે. આ સ્ટેશનનું ઉદ્ધાટન 1962માં થયું હતું પરંતુ ભૂતના ડરના કારણે આ સ્ટેશન ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. બેગુનકોડોરમાં રહેતા લોકોને ટ્રેન પકડવા માટે 40 કિલોમીટર દૂર બીજા સ્ટેશન પર જવું પડતું હતું. જેના કારણે ત્યાંના સ્થાનિકો દ્વારા રેલ્વે સ્ટેશનની માગ કરવામાં આવી હતી. જે માંગને સ્વીકારાતા બેગુનકોડોર રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, 1967માં આ સ્ટેશન બંધ પણ કરી દેવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, 1967માં આ રેલ્વે સ્ટેશન પર ત્યાંના સ્ટેશન માસ્ટરે એક યુવતીને જોઈ હતી. જે ટ્રેનની સાથે દોડી રહી હતી. જેને જોઈ સ્ટેશન માસ્ટર પણ ડરી ગયા હતા. સ્ટેશન માસ્ટરે અન્ય સ્ટાફને આ અંગે જણાવ્યું તો લોકોએ તેમનો ભ્રમ હોવાનું જણાવી વાતને ફગાવી દિધી હતી. બીજા દિવસે ફરીવાર સ્ટેશન માસ્ટરને તે જ યુવતી ટ્રેન સાથે દોડતી દેખાઈ અને આ વખતે દોડતા દોડતા તે ટ્રેનથી પણ આગળ નીકળી ગઈ હતી અને ટ્રેનની સામે નાચી રહી હતી.

આ જોઇને સ્ટેશન માસ્ટર ડરી ગયો હતો અને પોતાના મૂળ વતન ગયો હતો. જોકે, થોડાં દિવસો બાદ તેનું મોત નીપજ્યું હોવાના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન, અન્ય રેલ્વે સ્ટેશનના સ્ટાફે પણ આ યુવતીને જોઈ હતી અને તમામ લોકો ડરીને ત્યાંથી નોકરી છોડીને ભાગી ગયા હતા. આ સાથે જ સ્થાનિકો પણ એટલા ડરી ગયા હતા કે તેઓ રેલ્વે સ્ટેશન પર આવતા ન હતા અને દૂરના રેલ્વે સ્ટેશનથી ટ્રેન પકડતા હતા. જેના પગલે રેલ્વે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

ઘણા વર્ષોથી ચાલતી અફવાઓના પગલે એક વૈજ્ઞાનિકોની ટીમ અને એક પેરાનોર્મલ એક્સપર્ટની ટીમે નક્કી કર્યું હતું કે, એક રાત ત્યાં રોકાઇને તપાસ કરશું. ત્યારબાદ આ 20થી વધુ લોકોની ટીમે એક રાત રહીને ત્યાં વિવિધ સાધનો સાથે તપાસ કરી હતી. ત્યારે ત્યાં એ રિસર્ચ ટીમને પેરાનોર્મલ એક્ટિવીટીના કોઈ પુરાવા ન મળ્યા હતા. ભૂતના ખોફથી કોઈ ટ્રેન અહીંથી ગુજરતી હતી તો ટ્રેનનો પાયલટ ટ્રેનની સ્પીડ વધારી દેતો હતો. જેથી તે સ્ટેશન જલ્દી પાર થઈ શકે.

આ ઉપરાંત, ટ્રેનના પેસેન્જર પણ આ સ્ટેશન આવવા પહેલાં તમામ બારી-દરવાજાઓ બંધ કરી દેતા હતા. ત્યારબાદ, 2008માં રિસર્ચ ટીમના અહેવાલો રેલ્વે મંત્રાલયની સોંપવામાં આવ્યા અને 2009માં એટલે કે 42 વર્ષ બાદ તે સમયના રેલમંત્રી મમતા બેનર્જી દ્વારા આ રેલ્વે સ્ટેશન ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં અવી હતી. ત્યારથી અત્યારસુધી કોઈ પણ ભૂત દેખાવાનો દાવો કરવામાં આવ્યો નથી. પરંતુ, આજે પણ સુર્યઅસ્ત થયા બાદ કોઈ આ રેલ્વે સ્ટેશન પર રોકાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *