પાકિસ્તાનના ગોળીબારમાં વધુ એક ભારતીય વીર શહીદ- તોપગોળાથી થયો હતો હુમલો

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) ની આગળના વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો અને મોર્ટારના શેલ…

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) ની આગળના વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો અને મોર્ટારના શેલ છોડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પુંચ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટર અને રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એલઓસી અને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારે પાકિસ્તાનીઓએ ગોળીબાર અને તોપમારો કર્યો હતો.

એક ફોરવર્ડ પોસ્ટનું રક્ષણ કરી રહેલ એક આર્મી જવાન, નૌશેરા Nowshera ક્ષેત્રમાં તોપના ગોળાથી ઇજાગ્રસ્ત થયો હતો, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની ઇજાઓ ગંભીર હોવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા.

ANI એ ટ્વીટ કરતા કહ્યું છે કે, One Indian Army jawan has lost his life in the ceasefire violation by Pakistan Army in the Nowshera sector (J&K) along the Line of Control (LoC).

આ મહિનામાં રાજૌરી અને પૂંચમાં એલઓસી પર પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા તે ચોથા સેનાના જવાન છે. રાજૌરી જિલ્લામાં 4 અને 10 જૂનના રોજ પાકિસ્તાની ગોળીબારમાં બે સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે બીજો સૈનિક 14 જૂને પૂંચમાં સીમાપારની ગોળીબારમાં શહીદ થયો હતો.

દિવસની શરૂઆતમાં પાકિસ્તાને સવારે 3:30 થી સવારે સાડા પાંચ વાગ્યે કૃષ્ણ ઘાટી અને નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. તેણે એલઓસી પર નાના હથિયારોથી ફાયરિંગ કરીને અને મોર્ટાર વડે ગોળીબાર કરીને બિનઆયોજિત યુદ્ધવિરામ ભંગની શરૂઆત કરી હતી. ભારતીય સેનાએ યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *