ચમત્કાર: મંદિરના કળશમાંથી મળી આવી ૭૫ વર્ષ જૂની તાજી ઘી થી લચપચતી લાપસી

ભુજના અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના સામે આવી છે, જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગામવાસીઓ…

ભુજના અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના સામે આવી છે, જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગામવાસીઓ પણ ચોંકી ગયા હતા. આ અંગે પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ આ પ્રકારની જાણકારી આપી હતી.

મળતી માહિતી અનુસાર, ભુજના અંજાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલો દ્વારા વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હતું અને આ મંદિરનું શિખર બદલાવવા માટે તારીખ 8/9ના રોજ સવારે મંદિર ખાતે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મંદિરમાં શિખરના ટોચ પર આવેલા કળશને જયારે ઉતારવામાં આવ્યું ત્યારે તેમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો અને આ કુંભના માથે એક તાંબાનો સિક્કો પણ મળી આવ્યો હતો. જે સિક્કા પર “માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખેલું હતું. જયારે એને ખોલીને જોવામાં આવ્યું ત્યારે જે-તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરો પ્રસાદ રૂપે મળી આવ્યો હતો.

આ શીરો જાણે હમણાં જ અને તાજો બનાવેલો હોય એવો અને ઘીની સુગંધવાળો હતો. આને જોઈને સૌ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. મળી આવેલ આ પ્રસાદને લઈ ફરી વખત ભગવાન પાસે એ પ્રસાદને શીરા રૂપે ધરવામાં આવ્યો હતો.

પ્રસાદરૂપી આ શીરાને લોકો જોઈ શકે એ રીતે રાખવામાં આવ્યો:
અંજાર તાલુકાના ખેડોઈ ગામે ચોંકાવનારી ઘટના બની હોવાથી પુરાવારૂપે પ્રસાદરૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવીને રાખવામાં આવ્યો છે. ખેડોઈ ગામમાં આ આશ્ચર્યજનક ઘટના બનતાં હાલ લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *