BTPના કાર્યકારી પ્રમુખ સહીત તેમના સેંકડો સમર્થકો અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરી ‘AAP’માં જોડાયા

ગુજરાત(Gujarat): જેમ જેમ ચૂંટણી(election)ના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ભાજપ(BJP)માં આમ આદમી પાર્ટીના નામનો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની…

ગુજરાત(Gujarat): જેમ જેમ ચૂંટણી(election)ના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ભાજપ(BJP)માં આમ આદમી પાર્ટીના નામનો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની જનતા માટે કામ કરવાની કામની રાજનીતિથી ગુજરાત(Gujarat)ના લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. અને ચારો તરફ બસ એક જ અવાજ આવી રહ્યો છે કે બસ હવે પરિવર્તન જોઈએ છે. 27 વર્ષના કુશાસનથી ગુજરાતની જનતા હવે કંટાળી ગઈ છે.

એટલે પરિવર્તનને સાકાર કરવા માટે ગુજરાતના લોકો રોજે રોજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. BTPના કાર્યકારી પ્રમુખ ચૈતર દમજીભાઈ વસાવા, BTPના ડેડિયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, BTPના ડેડિયાપાડા તાલુકા ઉપપ્રમુખ જગદીશ વસાવા, BTPના ડેડીયાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માધવસિંહ અમરસિંહ વસાવા અને રીક્ષા યુનિયનના પ્રમુખ શાંતિલાલ વસાવા પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ બધા મહાનુભાવો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે ‘AAP’માં જોડાયા. આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો જનકલ્યાણના કાર્યોમાં સમાજસેવકો પોતાનું યોગદાન આપવા માંગે છે.

જે કામો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યા છે. તેને જોતા આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ પર વધુ વિશ્વાસ આવી રહ્યો છે. લોકો સમજી ગયા છે કે સત્તા બદલવી અને સુશાસન સ્થાપિત કરવું એ એમના જ હાથમાં છે.

તેઓ જનતા માટે કામ કરનારી પાર્ટીને મત આપીને ગુજરાતના સકારાત્મક પરિવર્તનમાં પોતાનું યોગદાન આપી શકે છે. આવનારી ચૂંટણી ગુજરાત માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતમાં એક ઐતિહાસિક બદલાવ લાવશે: આપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *