આ ખુરશી પર બેસનાર 63 વ્યક્તિએ ગુમાવ્યો જીવ, જાણો રહસ્ય વિશે,જુવો વીડિઓ

Published on Trishul News at 3:54 PM, Tue, 20 August 2019

Last modified on August 20th, 2019 at 3:54 PM

ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એવી અનેક વસ્તુઓ છે જેને શ્રાપિત માનવામાં આવે છે. આવી વસ્તુઓમાંથી એક છે થોમસ બસ્બીની ખુરશી. માન્યતા છે કે આ ખુરશી એટલી અપશુકનકારી છે કે તેના પર બેસનાર વ્યક્તિનું મોત થઈ જાય છે. આ ખુરશી પર બેસનાર 60થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હાલ આ ખુરશીને ઈંગ્લેંડના સર્કસ મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશીને અહીં 6 ફુટની ઊંચાઈ પર રાખવામાં આવી છે. લોકો ડરે છે કે ભુલથી પણ જો કોઈ તેના પર બેસી જાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આ ચેર થોમસ બસ્બી નામના વ્યક્તિની છે. તેને આ ચેર અત્યંત પ્રિય હતી અને એટલા માટે જ તેને જરા પણ પસંદ ન હતું કે તેની ચેર પર અન્ય કોઈ બેસે. થોમસની આ ચેર પર તેના પરીવારના સભ્યોને પણ મનાઈ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ તેના સસરા આવ્યા અને આ ચેર પર બેઠા. થોમસ આ વાતથી એટલો નાખુશ થયો કે તેણે તેમની હત્યા કરી દીધી. આ ઘટના બાદથી ચેરને પણ શ્રાપિત ગણવામાં આવે છે.

માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ ચેર પર બેસવાનો પ્રયત્ન કરે છે તેનું મોત 2 દિવસની અંદર જ થઈ જાય છે. 63 લોકોના મોત થયા બાદ આ ચેરને મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવી છે. આ ચેર અને લોકોના મૃત્યુ પાછળ શું સંબંધ છે તે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.

Be the first to comment on "આ ખુરશી પર બેસનાર 63 વ્યક્તિએ ગુમાવ્યો જીવ, જાણો રહસ્ય વિશે,જુવો વીડિઓ"

Leave a comment

Your email address will not be published.


*