સુરતમાં ઘરમાં જ પતિની હત્યા: પોલીસને પત્ની પર શંકા

Published on Trishul News at 12:03 PM, Wed, 29 January 2020

Last modified on January 29th, 2020 at 12:03 PM

સુરતના પાંડેસરામાં વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે હાજર થઇ હતી. તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે વારંવારના ઝઘડામાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પત્નીએ બૂમાબૂમ કરી

પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં આવેલ મહાવીર નગરમાં મૂળ ઉત્તરપ્રદેશનો પ્રેમલાલ ગુપ્તા પત્ની સાથે રહેતો હતો અને શાકભાજીનો વેપાર કરતો હતો. આ ઉપરાંત તે ગેસ બોટલ રીપેરીંગનું કામ કરતો હતો. પ્રેમલાલ છેલ્લા એક વર્ષથી મહાવીર નગરના પ્લોટ નંબર 27ના રૂમ નંબર 4માં ભાડે રહેતો હતો. આજે સવારે પાંચ વાગ્યે પત્નીએ બૂમાબૂમ કરી સોસાયટીવાસીઓને જણાવ્યું હતું કે, 4 જણા ઘરમાં ઘૂસીને પતિનું ગળું કાપી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસને પત્નીના નિવેદન પર શંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. જેને લઈને પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકાને લઈને પત્નીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

નાક, ગળા અને ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા મરાયા

પ્રેમલાલની હત્યાના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, નાક, ગળા અને ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે. કપાળ પર અન્ય ઘસરકાના નિશાન પણ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સુરતમાં ઘરમાં જ પતિની હત્યા: પોલીસને પત્ની પર શંકા"

Leave a comment

Your email address will not be published.


*