ટીવી જગતમાં કોરોના-કોરોના: આ લોકપ્રિય ટીવી એક્ટ્રેસને આવ્યો પોઝિટિવ

કોરોના વાઈરસના કેસ દિવસે-દિવસે ભારતમાં વધતાં જાય છે.ભારતમાં કુલ સાડા પાંચ લાખ કરતાં પણ વધારે કેસ છે.હાલમાં જ ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તાને કોરોના વાઈરસનો ટેસ્ટ…

કોરોના વાઈરસના કેસ દિવસે-દિવસે ભારતમાં વધતાં જાય છે.ભારતમાં કુલ સાડા પાંચ લાખ કરતાં પણ વધારે કેસ છે.હાલમાં જ ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.એક્ટ્રેસે વેબ પોર્ટલ ટેલિ ચક્કર સાથેની ચર્ચામાંમાં આ વાત કહી હતી.તેણે જણાવતાં કહ્યું હતું,કે તે અસિમ્પ્ટોમેટિક એટલે કે કોઈપણ જાતના લક્ષણો ના હોવાની દર્દી છે.તે છેલ્લાં 8 દિવસથી એક રૂમમાં ક્વૉરન્ટીન છે.

‘ઈશ્કબાઝ’ ફૅમ એક્ટ્રેસે આગળ જણાવતાં કહ્યું હતું,કે જ્યારે તેને તેની ગંધ પારખવાની ક્ષમતા જતી રહી,ત્યારે જ એણે પોતાને ક્વૉરન્ટીન કરી લીધી હતી,અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.ટેસ્ટ કરાવતાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે અસિમ્પ્ટોમેટિક દર્દી છે,અને તેણે ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું.છેલ્લાં એક અઠવાડિયાંથી તે પોતાના રૂમમાં બંધ છે.

આગળ વધુમાં અદિતીએ જણાવતાં કહ્યું હતું,કે તે તમામ મેડિકલનાં નિયમોનું પાલન કરે છે,અને તેની ગંધ પારખવાની ક્ષમતા થોડી પાછી આવી છે.તેણે દબાણપૂર્વક કહ્યું હતું,કે આનાથી ડરવાની જરૂર જ નથી.જો તમે યોગ્ય મેડિકલ સારવાર અને હકારાત્મક વલણ અપનાવો તો જરૂરથી સારા થઈ જશો.

અદિતીએ આગળ જણાવતાં કહ્યું હતું,કે તેને તેનાં પતિ,પરિવાર અને મિત્રોનો પૂરેપુરો ટેકો મળ્યો હતો.તેઓ સતત તેનું ધ્યાન રાખી રહ્યાં છે.તે આગળનાં 10 દિવસ માટે ક્વૉરન્ટીન રહેશે.તે યોગ્ય રીતે જમે છે,અને જરૂરી સાવધાની રાખે છે.તે એમ કહે છે,કે ભયભીત થવાની જરૂર નથી,પરંતુ આ સારી વાત નથી.તે શરૂઆતમાં જ તણાવમાં આવી ગઈ હતી.પરંતુ પછી તે ધીરે-ધીરે સારી થઈ ગઈ હતી.ઘણાં લોકો આની જ વાત કરવા માટે તૈયાર નથી,પરંતુ તેને આશા છે,કે સારા દિવસો ફરીથી આવશે અને સ્થિતિ પહેલાં જેવી જ સામાન્ય થઈ જશે.

20 એપ્રિલ, 1988નાં રોજ જન્મેલી અદિતી એક્ટ્રેસ ઉપરાંત મોડેલ અને ફેશન ડિઝાઈનર પણ છે.તેની 2 મોટી બહેનો મેઘા ગુપ્તા અને આમ્રપલી ગુપ્તા પણ ટીવી એક્ટ્રેસ જ છે.અદિતીએ એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કિસ દેશ મૈં હૈ મેરા દિલ’થી તેનાં કેરિયરની શરૂઆત કરી હતી.ત્યારપછી તેણે ઘણીબધી સિરિયલમાં કામ કર્યું હતું,જેમાં ‘કાલ ભૈરવ રહસ્ય 2’, ‘ઈશ્કબાઝ’, ‘કૂબૂલ હૈં’, ‘યે હૈં આશિકી’, ‘હિટલર દીદી’, ‘પુર્નવિવાહ’, ‘સંજોગ સે બની સંગીની’ જેવી સીરીયલ સામેલ છે.અદિતી ટીવી સીરિયલ ‘અનુપમા’માં જોવા મળશે.આ સિરિયલ લૉકડાઉનને લીધે હાલ પ્રસારિત કરવામાં આવી નથી.વર્ષ 2018માં અદિતીએ કબીર ચોપરા સાથે વિવાહ કર્યાં હતાં.

TV કલાકાર કિરણ કુમારનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમણે ઘરમાં રહીને જ સારવાર કરાવી હતી.TV એક્ટર સત્યજીત દૂબેની માતા પણ કોરોના પોઝિટિવ થયાં હતાં,અને તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.‘દિયા ઔર બાતી હમ’ ફૅમની દીપિકા સિંહની માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેમને દિલ્હીમાં એક પણ હોસ્પિટલમાં સારવાર મળી શકે તેમ ન હતી.આવાં સમયે દીપિકાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અરજી કરતી પોસ્ટ શેર કરી હતી,અને ત્યારપછી તેને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.હાલમાં જ દીપિકાની માતા કોરોના નેગેટિવ થયાં છે.‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમમાં રહેલ મોહેના કુમારી પણ કોરોના પોઝિટિવ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *