માત્ર આ એક પીણું પીવાથી થશે ચમત્કાર- પાચન સંબંધી બધા જ રોગો થઈ જશે ગાયબ

આયુર્વેદમાં અજમાને ઉત્તમ પ્રકારની ઔષધિ ગણવામાં આવી છે. અજમામાં 100 પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે. અજમો પાચનક્રિયા સંબંધી બધા જ રોગોમાં ફાયદો કરે છે.…

આયુર્વેદમાં અજમાને ઉત્તમ પ્રકારની ઔષધિ ગણવામાં આવી છે. અજમામાં 100 પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે. અજમો પાચનક્રિયા સંબંધી બધા જ રોગોમાં ફાયદો કરે છે. અજમા મા 100 પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે જેથી અજમો પાચનક્રિયા સંબંધી બધા જ રોગોમાં ફાયદો કરે છે અને રસોડામાં રહેલા સામાન્ય મસાલો ભલે હોય પણ તેનો ઉપયોગ ગેસ અને અપચો દુર કરવામાં મદદ કરે છે. અજમો માત્ર ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો પણ બીમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદિક નિષ્ણાત ડો. અબરાર મુલતાની મુજબ જો સવારે અજમાનું પાણી પીવામાં આવે તો આખા શરીર માટે તે ફાયદાકારક છે. અજમામાં ડાયટરી ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને અન્ય મિનરલ્સ જેવા કે ફોસ્ફરસ, કેલ્શિયમ, આર્યન હોય છે અને આ સિવાય તેમાં થાયમોલ હોય છે જે તેને અલગ સ્વાદ અને સુગંધ આપે છે. આયુર્વેદ મુજબ જે મહિલાઓને કફની સમસ્યા હોય તેમને અજમાના પાણીનું સેવન કરવું જોઈએ.

ઘણી મહિલાઓને વારંવાર યુરિન ઇન્ફેક્શન ની સમસ્યા થઈ જતી હોય છે. તેથી સવારે રોજ આ પાણી પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. ગળા ની સમસ્યા અને મો ની દુર્ગંધ માં પણ આ પાણી બેસ્ટ છે. ખરાબ ખાન-પાનને કારણે ઘણીવાર ગળામાં દુખાવો કે મોમા દુર્ગંધની સમસ્યા થાય છે પણ અજમાનું પાણી આ સમસ્યા દૂર કરી દેશે. બોડી માં રહેલા ટોકિન્સ દૂર કરવા માટે પણ અજમાનું પાણી રામબાણ ઈલાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *