“જો તું મારી જિંદગીમાં નહીં તો હું પણ નહીં”, આવું કહી પ્રેમીએ પ્રેમિકાના ઘર આગળ જ…

બિહાર: તાજેતરમાં પટનાના બેગુસરાય જિલ્લામાંથી એક હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. જ્યાં પ્રેમિકાએ બીજે ક્યાંક લગ્ન કરી લીધા તો પ્રેમીને એટલો ઊંડો આઘાત લાગ્યો કે…

બિહાર: તાજેતરમાં પટનાના બેગુસરાય જિલ્લામાંથી એક હૃદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. જ્યાં પ્રેમિકાએ બીજે ક્યાંક લગ્ન કરી લીધા તો પ્રેમીને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, યુવકે તેની પ્રેમિકાના દરવાજા સામે જ જીવન ટુકાવ્યું હતું. આ ચોંકાવનારી ઘટના બેગુસરાય જિલ્લાના બાસુદેવપુર ચાંદપુરા ગામમાંથી સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, સાજન કુમાર મહતોએ તેની પ્રેમિકાના લગ્ન બાદ તેના ઘરની સામે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા સ્થળ પર જ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, પોલીસને સ્થળ પરથી બંદૂક મળી ન હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સાજન કુમાર મહતો નામનો યુવક તેના જ ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો.

તે તેની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો. તેની સાથે લગ્ન કરે તે પહેલા જ પ્રેમિકાએ બીજે ક્યાંક લગ્ન કરી લીધા હતા. તે જ સમયે, પ્રેમિકાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને સાજન સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર તેને ઓળખે છે, પરંતુ તે મારી સાથે લગ્ન કરવા જિદ્દ કરી રહ્યો હતો. બીજી બાજુ, આ મામલાની તપાસ કરી રહેલા મુફસ્સિલ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ રાજીવ લાલે જણાવ્યું કે, હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

દોષિત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, ગ્રામજનોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે સાજન છોકરીને ખુબ જ પ્રેમ કરતો હતો. પરંતુ, છોકરીએ તેને એટલો પ્રેમ કર્યો ન હતો. જ્યારે તે પ્રેમમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે તેની પ્રેમિકાના ઘરે જઈને આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *