PM કિસાન યોજના: 11મો હપ્તો લેતા ખેડૂતોને માટે મહત્વના સમાચાર, આ લાભાર્થીઓને પરત કરવા પડશે પૈસા નહિ તો…

Published on Trishul News at 12:13 PM, Sat, 25 June 2022

Last modified on June 25th, 2022 at 12:13 PM

PM કિસાન સન્માન નિધિ(PM Kisan Sanman Nidhi): PM કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને આપવામાં આવ્યો છે. 31મી મેના રોજ વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. આ હપ્તો જાહેર થયા બાદ આવા અનેક કિસ્સાઓ સરકારના ધ્યાને આવ્યા છે જેમણે ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે.

ભૂતકાળમાં પણ ખોટી રીતે યોજનાનો લાભ લેનારા લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે સોશિયલ ઓડિટ પણ શરૂ કર્યું હતું. સોશિયલ ઓડિટનો હેતુ યોજનાનો ખોટી રીતે લાભ લેનારાઓને ઓળખવાનો હતો. આ યોજના મોદી સરકારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરી હતી.

તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે, તમારે હપ્તાના પૈસા પાછા આપવાના છે કે નહીં. આ માટે PM કિસાનની વેબસાઈટ પર જઈને ફાર્મર કોર્નર પર રિફંડનો ઓનલાઈન વિકલ્પ જોવા મળશે. અહીં ક્લિક કરવા પર વેબ પેજ પર પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરો. આ પછી, અહીં તમે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

બધી માહિતી દાખલ કર્યા પછી, એકવાર ક્રોસ ચેક કરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Get Data’ પર ક્લિક કરો. અહીં ક્લિક કર્યા પછી, જો તમને ‘તમે કોઈપણ રિફંડ રકમ માટે પાત્ર નથી’ એવો મેસેજ જોશો, તો તમારે પૈસા પાછા આપવાના નથી. જો રિફંડની રકમનો મેસેજ અહીં દેખાય છે, તો તમારે પૈસા પરત કરવાના રહેશે. જો તમે પૈસા પરત નહીં કરો તો તમને સરકાર તરફથી કોઈપણ સમયે નોટિસ મળી શકે છે.

નિયમો અનુસાર, PM કિસાન હેઠળ એવા કોઈપણ વ્યક્તિને લાભ નહીં મળે જે ITR ફાઇલ કરે છે અથવા સરકારી કર્મચારી છે. આ સિવાય જો જમીન પતિ-પત્ની બંનેના નામે હોય તો પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ વાર્ષિક રૂ.6000નો લાભ લઈ શકે છે.

સરકાર વતી, PM કિસાન યોજના હેઠળ ઈ-કેવાયસી(E-KYC) કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી છે. અગાઉ 31મી મે સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તમામ લાભાર્થીઓ વતી ઇ-કેવાયસીની ગેરહાજરીમાં છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "PM કિસાન યોજના: 11મો હપ્તો લેતા ખેડૂતોને માટે મહત્વના સમાચાર, આ લાભાર્થીઓને પરત કરવા પડશે પૈસા નહિ તો…"

Leave a comment

Your email address will not be published.


*