જૂનાગઢમાં નજીવી બાબતે યુવાનની છરીના આડેધડ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા, કારણ જાણી…

Published on Trishul News at 12:27 PM, Sun, 14 August 2022

Last modified on August 14th, 2022 at 12:27 PM

હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જૂનાગઢ(Junagadh) શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તાર (Timbawadi area)માં ગત રોજ રાત્રીના સમયે એક યુવાનની છરીના આડેધડ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

શખ્સ અપશબ્દો બોલતો હતો:
મળતી માહિતી અનુસાર, મૃતક દીપેન અનિલભાઈ વાજા જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીમાં રહેતા હતા. દીપેનની છરીના આડેધડ ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અંગે મૃતક યુવકના પિતા અનિલભાઈ વાજા એ જણાવ્યું હતું કે, ગતસવારે તેમના ઘર પાસે દરગાહની પાછળ રહેતો અમીન નામનો શખ્સ અપશબ્દો બોલતો હતો. જેથી ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તે જતો રહ્યો હતો.

છરી વડે હુમલો કર્યો:
ત્યારબાદ ગતમોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં ફરી અમીન સહિતનાએ દીપેન વાજાના ઘર પાસે આવી અવાજ કરતા હોય જેને લઈને ફરી માથાકૂટ થતાં અમીન સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેથી દીપેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ હત્યાના બનાવવામાં બે મહિલા સહિત છ શખસોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જૂનાગઢમાં નજીવી બાબતે યુવાનની છરીના આડેધડ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા, કારણ જાણી…"

Leave a comment

Your email address will not be published.


*