સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુ

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. છેલ્લા 11 દિવસથી ડાયમંડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતા શોકનો માહોલ જોવા મળી  રહ્યો છે.

બાળકની વેન્ટીલેટર હેઠળ ચાલતી સારવારમાં રેમેડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું. જાણવા મળ્યું છે કે, નવજાત બાળકને માતા દ્વારા કોરોના સંક્રમણ લાગ્યુ હતું. બાદમાં બાળકની તબીયત અચાનક બગડી જતા તેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે રિપોર્ટમાં કોરોના દેખાતા તબીબો પણ ચોંકી ગયા હતાં. કિડની અને ખેંચની બિમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

વરાછામાં ચીકુવાડીમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં 1 એપ્રિલના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. માતા બાળકીને નિયમિત સ્તનપાન કરાવતી હતી. બાદમાં માતામાં અચાનક શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળ્યા. તેથી, તબીબોએ માતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પહેલો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

તેથી માતાએ શરદી-ખાસીને ગંભીરતાથી લીધી ન હતી. બાદમાં માતાની તબીયત વધુ લથડતા બીજો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. બીજા ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી ડોકટરો ચોંકી ગયા હતાં. બાદમાં 11 દિવસના બાળકની તબીયત પણ અચાનક બગડી હતી. તેથી, તબીબોએ બાળકનો એક્સ-રે રિપોર્ટ કરાવ્યો હતો.

જન્મના ત્રીજા દિવસે તબિયત લથડી
મૃતક નવજાત બાળકના પિતા રોહિત વસાવાએ જણાવ્યું હતું કે, બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા. જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેવાયા હતા.

માતાની નાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જોખમ ઊભું કરી શકે છે. તેને વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવ્યુ છે. તેને રેમડેસિવિર અને આઇ.વી.જી.આઇ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તે,મ છતાં ડોકટરો બચાવવામાં અસમર્થ રહ્યા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અમારી હોસ્પિટલમાં બાળકને જરૂરી તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ બાળકનુ સ્વાસ્થ ઝડપથી સારૂં થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *