હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મચારી અનિલ ચૌધરીએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અનિલ ચૌધરીના પત્નીએ જણાવ્યું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ 13 લાખ મકાન વેચીને આપ્યા હતા. જોકે, વ્યાજખોરો 30 લાખનો ચેક નાખી રીટર્ન કરાવીને નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
અનિલે ફાયનાન્સર પાસેથી 10 ટકા વ્યાજે 25 લાખ રૂપિયા લીધા હતા. 2 વર્ષમાં 24 લાખ રૂપિયા આપ્યા અને એક વર્ષ પહેલા 15 નિકળતા હોવાથી 13 લાખ રૂપિયામાં મકાન વેચીને તેને આપ્યો હતો. 10 લોકોની મધ્યસ્થતા બાદ વ્યાજરોને ના પાડી હતી કે હવે રૂપિયા આપવા નહી અને 2 લાખ રૂપિયા આફી પેપર આપવાની વાત કરી હતી. જો કે વ્યાજખોરોએ 30 લાખ રૂપિયાનો ચેક નાખી રિટર્ન કરાવી નોટિસ ફટકારી હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લિંબાયત નિલગીરી રંગીલા નગરમાં અનિલ કૈલાશભાઇ ચધરી બે પુત્રી અને એક પુત્ર તથા પત્ની સાથે રહે છે. અનિલ પાલિકાના ઉધના દબાણ ડેપોમાં છેલ્લા 20 મહિનાથી તાલીમાર્થી કર્મચારી તરીકે કાર્યરત છે. અનિલ છેલ્લા 3-4 દિવસથી માનસિક દાબમાં રહેતો હતો.
દરમિયાન આજે બપોરે ભોજન બાદ આરામ કરવાના બહાને મિત્રોથી છુટો પડી ઉંઘની ગોળીઓ ખાઇને કોઇ પ્રવાહી પીધું હતું. ત્યાર બાદ ઉલ્ટીઓ થતા મિત્રો દોડી આવ્યા હતા. પુછપરછમાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવતા તેને 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. તેની પાસેથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle
Be the first to comment on "સુરત: વ્યાજખોરોએ વધુ એક સરકારી કર્મચારીનો લીધો જીવ – સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"