વાલીઓ ચેતજો! સુરતની ભગવાન મહાવીર કોલેજમાં વિધર્મી યુવકોના નિશાને હિંદુ દીકરીઓ, પડકાતા એટલા ખરાબ રીતે માર્યા કે…

છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં પણ હમણાં થોડા દિવસો પહેલા જ  દિલ્હી (Delhi)માં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા…

છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં પણ હમણાં થોડા દિવસો પહેલા જ  દિલ્હી (Delhi)માં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંકી દેવાનો ખેલ ખેલાયો છે. ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોય તેવું ધ્યાને આવતા વિવાદ થયો. જે મારામારી સુધી પહોંચી ગયો છે. તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

વીએચપી દ્વારા કાર્યવાહી:
જાણવા મળ્યું છે કે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર સુનિયોજિત રીતે લવજેહાદનું ષડ્યંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થિનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતું હતું. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે આ મારામારી થઈ હતી.

વિધર્મી યુવકને માર મરાયો:
આ ષડ્યંત્રમાં કોલેજના જે વિદ્યાર્થીઓ વિધર્મી હતા અને તેઓ હિન્દુ છોકરીઓ સાથે સંપર્ક વધારી તેમની સાથે અફેર કરતા હતા. તેઓ વિદ્યાર્થિનીઓ સાથે મિત્રતા વધારી તેમની સાથે સોશિયલ મીડિયામાં પણ ચેટિંગ કરતા અને એકબીજાનો મોબાઈલ નંબરનો આપ-લે કરીને તેમની સાથે વાતો કરી મિત્રતા વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરતા હતા. જેમાં બે-ત્રણ વિધર્મી યુવકો દ્વારા આ ષડ્યંત્ર કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ઓળખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજમાં જ વિદ્યાર્થીને જાહેરમાં માર મરાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

વિદ્યાર્થીઓ ષડ્યંત્ર રચી રહ્યા છે: વિહિપ
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી લવજેહાદ સમગ્ર દેશમાં અને શહેરમાં પણ વધી રહ્યો છે. જેના કારણે હિન્દુ યુવતીઓએ આપઘાત કરી લેવા સુધીની ફરજ પડે છે. ત્યારે હવે સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થયા છે અને તેઓ હિન્દુ વિદ્યાર્થીઓનો સંપર્ક વધારે તેમને પ્રેમજાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો મળી રહી હતી.

આ બાબતની જાણ વિશ્વ હિન્દુ પરિષદની ટીમને થતા તેઓ કામે લાગ્યા હતા. તેઓએ છોકરીની તપાસ કરી રહી હતી કે, ખરેખર આ બાબતમાં તથ્ય છે કે કેમ. જ્યારે પૂરતા પુરાવા મળ્યા કે આ વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરવાનું એક આખું ષડ્યંત્ર કરી રહ્યા છે ત્યારે અમે કાર્યવાહી કરી છે. જેથી કરીને વિધર્મીઓ સુરત શહેરમાં નહીં પરંતુ દેશમાં પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ ના આપે. આવી ઘટનાને અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *