‘કાળ’ બનીને આવેલી કારે બે વ્યક્તિને લીધા અડફેટે, બંનેના કમકમાટી ભર્યા મોત

Published on Trishul News at 5:08 PM, Wed, 10 August 2022

Last modified on August 10th, 2022 at 5:08 PM

અકસ્માત (accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક પોરબંદર (Porbandar)ના ભારવાડા(Bharwara) ગામે હિટ એન્ડ રન (Hit and run)ની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા કાર ચાલકે બે વ્યક્તિઓને અડફેટે લેતાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સમાગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તેને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.

કારે બેન્ચ પર બેસેલા બે જણને અડફેટે લીધા:
મળતી માહિતી મુજબ, ભારવાડા ગામના બસ સ્ટેન્ડ પર રાત્રીના સમયે કેટલાક સ્થાનિક ગ્રામજનો બેઠા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર ધસી આવતાં તેણે બસ સ્ટેન્ડની બેન્ચ પર બેઠેલા બે લોકોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં છગન મસરી ઓડેદરા (53) તેમજ અરજન રાણાવાયા (55)ના મોત નીપજ્યા છે.

ઘટના બાદ તાત્કાલિક પણે સ્થાનિકોની મદદથી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સ્થળેથી ફરાર થયેલા કાર ચાલકને શોધવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "‘કાળ’ બનીને આવેલી કારે બે વ્યક્તિને લીધા અડફેટે, બંનેના કમકમાટી ભર્યા મોત"

Leave a comment

Your email address will not be published.


*