ભારતે રચ્યો સુવર્ણ ઇતિહાસ: કોરોના સામેની જંગમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર

કોરોનાવાયરસ(Coronavirus) રોગચાળાને રોકવા માટે “વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન” શરૂ કર્યાના નવ મહિના પછી, ભારતે આજે 1 અબજ અથવા 100 કરોડ ડોઝ(100 million doses) પૂર્ણ…

કોરોનાવાયરસ(Coronavirus) રોગચાળાને રોકવા માટે “વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન” શરૂ કર્યાના નવ મહિના પછી, ભારતે આજે 1 અબજ અથવા 100 કરોડ ડોઝ(100 million doses) પૂર્ણ કર્યા છે. 100 કરોડ રસીકરણ(Vaccination)નો આંકડો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health Minister Mansukh Mandvia)એ ટ્વિટ કર્યું કે, ભારતને અભિનંદન. આ સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર(Central Government) તહેવારની તૈયારી કરી રહી છે તેને “મોટી સિદ્ધિ” તરીકે લઈ રહી છે. દેશનો સૌથી મોટો ખાદી તિરંગો 100 કરોડ રસી ડોઝ પૂર્ણ થયા બાદ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવશે. આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન આશરે 1,400 કિલો છે. અધિકારીએ કહ્યું કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

કોવિન પોર્ટલના ડેટા અનુસાર, દેશમાં બુધવાર સુધી આપવામાં આવેલ કુલ રસી ડોઝ 997 મિલિયનને વટાવી ગયો છે, જેમાં તમામ પુખ્ત વયના લોકોમાંથી 75 ટકાને પ્રથમ ડોઝ અને લગભગ 31 ટકાને બંને ડોઝ મળ્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ બુધવારે જણાવતા કહ્યું હતું કે, “અમે પ્રતિ સેકન્ડ 700 રસીકરણ કરી રહ્યા છીએ. ‘100 કરોડ’ લાભાર્થી કોણ હશે તે શોધવું થોડું મુશ્કેલ હશે.”

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના અજાણ્યા અને અણધારી મહામારીના સમયમાં મોટા પાયે રસી ઉત્પાદન અને વિતરણના પડકારોને જોતા એક અબજ રસી ડોઝ આપવી સરકાર દ્વારા મોટી સિદ્ધિ માનવામાં આવે છે. અત્યાર સુધી, ચીન એકમાત્ર એવો દેશ છે જ્યાં 100 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે. ત્યાં જૂનમાં 1 અબજ ડોઝનો આંકડો પાર થયો. ચીન પણ એક અબજથી વધુની વસ્તી ધરાવતો દેશ છે. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર દેશભરમાં 2.5 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ ચોથી વખત હતું જ્યારે એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.

જો કે, મધ્યપ્રદેશમાંથી કેટલીક ચોંકાવનારી વિસંગતતાઓ બહાર આવ્યા પછી રસી આપવામાં આવતા મૃત લોકોની સંખ્યા સહિત આપવામાં આવેલા ડોઝની વાસ્તવિક સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન, સરકારે કહ્યું છે કે નોંધપાત્ર સંખ્યામાં લાભાર્થીઓ ને રસીનો બીજો ડોઝ મળ્યો નથી. જો કે, સરકારે આવા નંબરો શેર કરવાનો ઇનકાર કર્યો છે. તેલંગાણામાં, અંદાજિત 25 લાખ લાભાર્થીઓ છે જેમણે જૂન/જુલાઈમાં પ્રથમ ડોઝ લીધો હતો પરંતુ સમયમર્યાદામાં બીજી ડોઝ લેવાનું ચૂકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *