IND VS PAK ની મેચ પૂરી થતા અમિતશાહની સ્ટ્રાઇકવાળી ટ્વીટ પર પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ. જાણો અહી

વર્લ્ડ કપની મેચમાં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાની ફેન્સ તો ઠીક પણ પાકિસ્તાની સેના પણ બોખલાઇ ગઈ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું મેચમાં હાર…

વર્લ્ડ કપની મેચમાં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાની ફેન્સ તો ઠીક પણ પાકિસ્તાની સેના પણ બોખલાઇ ગઈ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું મેચમાં હાર બાદ કહેવું છે કે, મેચને સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડીને ન જોવામાં આવે.

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રિલેશન્સના મહાનિદેશ આસિફ ગફુરે સોમવારના રોજ ભારતના હોમ મિનિસ્ટર અમિત શાહની ટ્વીટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારતથી પાકિસ્તાનને મળેલી હાર અને દેશોની બોર્ડર પર થયેલી લડાઇની વચ્ચે તુલના ન કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ભારતની જીત બાદ ટ્વીટ કરી હતી કે, ટીમ ઇન્ડિયા દ્વારા પાકિસ્તાન પર એક વધુ સ્ટ્રાઇક અને રિઝલ્ટ એકસમાન. આ શાનદાર પ્રદર્શન માટે સમગ્ર ટીમને શુભેચ્છા. દરેક ભારતીય ગૌરવનો અનુભવ કરી રહ્યો છે અને આ પ્રભાવશાળી જીત પર જશ્ન થઇ રહ્યો છે.

ગફુરે પોતાના ટ્વીટર અકાઉન્ટના માધ્યમથી કહ્યું હતું કે, પ્રિય અમિત શાહ, હા, તમારી ટીમે એક મેચ જીતી. સારું રમ્યા. બે બિલકુલ અલગ-અલગ વસ્તુઓની તુલના ન કરી શકાય, તેવી જ રીતે સ્ટ્રાઇક અને મેચની તુલના ન કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *