આંતરિક ઝઘડાએ લીધો એક નિર્દોષનો જીવ- 10 થી 15 લોકોના ટોળાએ ચપ્પુના ઘા અને લાકડાના ફટકા મારતા નીપજ્યું કરુણ મોત

સુરત(Surat): અમરોલી(Amaroli) કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં સપાટા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ…

સુરત(Surat): અમરોલી(Amaroli) કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં સપાટા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો અને પરિવારના 5 જણાનો આર્થિક સહારો હતો. બે દિવસ પહેલા યુવતીને લઈ થયેલા ઝગડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસી ઘરમાંથી બહાર કાઢી કાઢીને ફટકારતા વૃદ્ધ સહિત ચાર જણા ને ગંભીર ઇજા થઇ છે.

કાજલ રાઠોડ (પાડોશી) એ જણાવ્યું હતું કે, ઝગડો યુવતીને લઈ હતો. જોકે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં રાત્રે ફળિયાવાસીઓએ બહારથી માણસો બોલાવી સામાપક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢી માર મારતા હતા. જે જોવા ડોક્યુ કરે એને પણ મારવામાં આવી રહ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, અજય રાઠોડ ઝગડાની અવાજ સાંભળી ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. 10-15 નું ટોળું અજય પર તૂટી પડયુ હતું. ચપ્પુના ઘા અને લાકડા ના માથામાં સપાટા મરાયા હતા. લોહી લુહાણ થયેલા અજય ને 108ની મદદથી સ્વિમેર લવાતા મૃત જાહેર કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, માતા-પિતા, પત્ની અને બે સંતાનો સાથે રહેતો અજય ઉ.વ. 24 એક નો એક કમાઉ દીકરો હતો. અજયના મોતના સમાંચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો છે. આખી ઘટનાં CCTV માં કેદ થઈ ગઈ છે. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *