CM રૂપાણીએ હવે શોધવું પડશે કે કોરોના મૃતકોના દાગીના- મોબાઈલ કોણ ચોરી જાય છે! વધુ ફરિયાદો સામે આવી

અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓના સામાનની ચોરીના કિસ્સાઓ પુરા થવાનું નામ નથી લઇ રહ્યા. ગઈકાલે જ વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં BBC ના પત્રકારના…

અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓના સામાનની ચોરીના કિસ્સાઓ પુરા થવાનું નામ નથી લઇ રહ્યા. ગઈકાલે જ વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં BBC ના પત્રકારના બનેવીના મોબાઈલ અને ઘડિયાળ ચોરી થવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં સાગર શાહ નામના વ્યક્તિના પિતાનું કોરોનાથી મુર્ત્યું થયા બાદ તેમના દાગીના ચોરાયા ની ફરિયાદ ટ્વીટ મારફતે કરવામાં આવી છે.

સાગર શાહન નામના પ્રધાનમંત્રી મોદીના પ્રશાન્શાકે સીધી પ્રધાનમંત્રી મોદીને ટ્વીટ કરીને ફરિયાદ કરી છે કે, તેમના પિતા અમદાવાદ સિવિલમાં દાખલ હતા. તેમના અવસાનના બીજા દિવસે તેમણે મૃતદેહ મળ્યો અને તેમના પિતાજીના દાગીના ચોરી થઇ ગયા છે.

ગઈકાલે BBC ના પત્રકાર રોક્સી ગાગડેકર એ પણ પોતાના જીજાજી ના મૃત્યુ બાદ મૃતદેહ મોડો મળ્યો અને કોણે ફોન અને ઘડિયાળ ચોર્યા તેની ફરિયાદ કરી છે.

BBC ના પત્રકારે મુખ્યમંત્રીને સવાલો પણ કર્યા છે કે, શું તેમના સ્નેહીજનને ધમણ પર રાકવામાં આવ્યા હતા કે શું? સવારે મૃત્યુ થવા છતાં તેમના મૃત્યુની જાણકારી કેમ સાંજે આપવામાં આવી.

આ પહેલા પણ મૃતક મહિલાનાના દાગીના ચોરી થયાની ફરિયાદ સિવિલ તંત્ર સામે થવા પામેલ છે. ખડે ગયેલા સિવિલ તંત્રનો વધુ એક છબરડો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પર લોકોને શંકા થઇ રહી છે. હવે આ બાબતે ખુદ મુખ્યમંત્રીએ જ દખલગીરી કરીને સંવેદનશીલ બનીને કૈક કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *