ઝાડ સાથે આઈ-20 કાર ધડાકાભેર અથડાતા ત્રણ લોકો મોતને ભેટ્યા- જાણો કયાની છે આ દુઃખદ ઘટના

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માત થઇ રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કોટકાપુરા (Kotkapura) રોડ પર ઝબેલવાળી…

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માત થઇ રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કોટકાપુરા (Kotkapura) રોડ પર ઝબેલવાળી (Zalebvali) ગામ પાસે એક ઝડપી કાર બેકાબૂ બનીને રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં દંપતી સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ફરીદકોટ જિલ્લાના દીપ સિંહ વાલા ગામના રહેવાસી છે.

તેમજ મળતી માહિતી અનુસાર દીપ સિંહ વાલા ગામનો કુલવંત સિંહ તેમની પત્ની અને અન્ય સંબંધી સાથે સોમવારે બપોરે કોટકપુરાથી શ્રી મુક્તસર સાહિબ જવા નીકળ્યા હતા. તે દરમિયાન તેની કાર ખૂબ જ સ્પીડમાં હતી. જેના કારણે કોટકપુરા રોડ પર આવેલા ઝબેલવાળી ગામ પાસે તેની આઈ-20 બેકાબુ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે રાહદારીઓએ તરત જ સરનાગાની સહારા જનસેવા સંસ્થાને જાણ કરી હતી. ત્યાર બાદ કારમાં બેઠેલા ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ 60 વર્ષીય કુલવંત સિંહ, તેમની પત્ની હરપાલ કૌર (55) અને તેમના સંબંધી ઓમકાર સિંહ (40) તરીકે થઈ હોવાનનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોના મૃતદેહને સહારા એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *