જમ્મુ-કાશ્મીરના અવંતીપુરા અને શોપિયામાં ફરી એક વખત એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. અવંતીપુરામાં ગુરૂવારના રોજ એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બાકીના આતંકીઓ નજીકની મસ્જિદમાં સંતાઈ ગયા હતા. શુક્રવારની સવારે એન્કાઉન્ટરમાં બંને માર્યા ગયા છે. તેમજ સોપીયાના મુનાંદ આનંદમાં પણ ગુરુવારે એક આતંકી માર્યો ગયો હતો. મુનાંદમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જણાવી દઈએ કે અવંતીપુરાના પંપોરમાં આતંકવાદી સંતાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. તે દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ આતંકીને મારી નાખ્યો હતો. પરંતુ બે આતંકીઓ સ્થાનિક જામા મસ્જિદની અંદર ઘૂસી ગયા હતા.
સુરક્ષા દળોએ આતંકીઓને સરેન્ડર કરવા માટે કહ્યું હતું પરંતુ તેઓ ન માન્યા. શુક્રવારની સવારે એસઓજીના કમાન્ડો મસ્જિદની અંદર ઘૂસી ગયા છે અને બંને આતંકવાદીઓને મારી નાખ્યા છે. ખાસ વાત તો એ છે કે સુરક્ષા દળોએ ફાયરિંગનો ઉપયોગ કર્યો ન હતો. તેમની લાશને કબજામાં લેવામાં આવી છે.
તેમજ સોપિયામાં આતંક વિરુદ્ધ સુરક્ષા બળોનું એક્શન ચાલી રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં 15થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ આ વર્ષે સુરક્ષા બળોએ લગભગ ૧૦૦ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે હવે તેમનું ફોકસ નોર્થ કાશ્મીરમાંથી આતંકીઓને ખતમ કરવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
Be the first to comment on "અહિયાં મસ્જિદમાં ઘુસ્યા હતા આતંકવાદીઓ- દેશના વીર જવાનોએ કર્યા ઠાર"