જામનગર સીમમાં જેટકોનો ટાવર તૂટી પડતા, 12 પશુઓના નીપજ્યા કરુણ મોત

જામનગર(ગુજરાત): બુધવારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા કેનેડી બાજુના ચગડિયુ સીમ વિસ્તારમાં જેટકો વિભાગ હેઠળનો 66 કેવીના પરીવહન માટે વપરાતો ટાવર અચાનક ઢળી પડતા માલધારીના બારથી વધુ…

જામનગર(ગુજરાત): બુધવારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા કેનેડી બાજુના ચગડિયુ સીમ વિસ્તારમાં જેટકો વિભાગ હેઠળનો 66 કેવીના પરીવહન માટે વપરાતો ટાવર અચાનક ઢળી પડતા માલધારીના બારથી વધુ અબોલ પશુના મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જયારે અમુક ઘેટા-બકરાને ઇજા પણ પહોચી છે.

મળતી માહિતી મુજબ, બુધવારે સવારના સમયે ભાટિયા કેનેડીની બાજુમાં માઢનો ધાર વિસ્તારમાં ચગડિયું કહેવાતા સિમ વિસ્તારમાં જેટકો વિભાગના અંડરમાં આવતા 66 કેવી પાવરનું વહન કરવા વપરાતો ટાવર રસ્તા પર પડી ગયો હતો. આ તોતિંગ વીજ ટાવર રસ્તા પર પડતા ત્યાં જ બાજુમાં અબોલ પશુઓ પર પડતા લગભગ 12 જેટલા પશુના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

જયારે અન્ય પશુને પણ નાની મોટી ઇજા પહોચી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ધટનાના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાના કારણે રાજુભાઇ હતપ્રત બની ગયા હતા. જેટકો અને પોલીસને જાણ કરી હોવાનુ સામે આવ્યું હતું. જોકે, મોડીસાંજ સુધી ત્યાં સ્થળ પર કોઇ આવ્યું ન હતું. માલધારી પરીવાર પર આભ તુટી પડયુ હતુ અને જીવન નિર્વાહના સ્ત્રોત સમાન પશુઓનો ભોગ લેવાતા પરીવાર શોક બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *