ઉત્સવ ફેરવાયો માતમમાં: કપડવંજમાં એક સાથે 4 યુવકોની અંતિમ યાત્રામાં લાગણી સભર દ્રશ્યો

ગયા શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તણાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા,…

ગયા શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તણાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા, પરંતુ 4 યુવકોને બચાવી શકાયા ન હતા, તેમના મૃતદેહ મળી આવતા તેમના પરિવાર પર દુ:ખના ડુંગર તૂટી પડ્યાં છે, શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં રહેતા ચારેય દલિત યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી, શહેરમાં એક સાથે ચાર યુવકોની અંતિમ યાત્રા નીકળતા આખુ કપડવંજ શોકમય થઇ ગયું હતુ.

શનિવારે વાત્રક, શેઢી અને મહોર નદીના સંગમ પર મોટી સંખ્યામાં લોકો ભગવાન ગણેશજીના વિસર્જન માટે આવ્યાં હતા, તે સમયે શહેરના 6 યુવકો નદીમાં ડૂબ્યાં હતા, જેમાં 4 યુવકોની નદીમાંથી લાશ મળી આવી હતી, ગૌરાંગ વાઘેલા (ઉંમર 27 વર્ષ), નિલેશ વાઘેલા (ઉંમર 18 વર્ષ), પ્રકાશ વાઘેલા (ઉંમર 20 વર્ષ) અને રાહુલ વાઘેલા (ઉંમર 20 વર્ષ)નું નદીમાં ડૂબી જતા મોત થઇ ગયું હતુ, જ્યારે તેઓ ગણેશ વિસર્જન માટે નીકળ્યાં હતા, ત્યારે તેમના પરિવારજનોએ વિચાર્યું પણ નહીં હોય કે તેમના દિકરાઓ હવે ક્યારેય ઘરે પરત નહીં આવે, ભગવાનના વિસર્જનના શુભ અવસરે આવી ઘટનાથી તેમનો પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *