BREAKING NEWS: KGF ફેમ અભિનેતાનું નિધન, મનોરંજન જગતમાં શોકનો માહોલ

Published on Trishul News at 4:27 PM, Sat, 7 May 2022

Last modified on May 9th, 2022 at 4:00 PM

બોલીવુડ(Bollywood): બમ્પર હિટ ફિલ્મ KGF 2માં જોવા મળેલા એક્ટર મોહન જુનેજા(Mohan Juneja)નું આજે સવારે અવસાન થયું. અહેવાલો અનુસાર, મોહન લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને શનિવારે સવારે બેંગ્લોર(Bangalore)ની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મોહન જુનેજા તેમની જબરદસ્ત કોમેડી(Comedy) માટે જાણીતા છે. દુનિયાને અલવિદા કહેનાર મોહનના ચાહકો અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

જો તમે ‘KGF’ જોઈ હોય તો તમને જણાવી દઈએ કે, મોહન જુનેજાએ આ ફિલ્મમાં પત્રકાર આનંદીના ઈન્ફોર્મરનો રોલ કર્યો હતો. મોહન જુનેજા દક્ષિણ ભારતીય સિનેમાનું ખૂબ જાણીતું નામ છે. મોહને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોહન જુનેજાએ સોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

આ કોમેડી સ્ટારે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો છે. તેમના નિધન બાદ ચાહકો ખૂબ જ દુઃખી છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, મોહન જુનેજાને ફિલ્મ ‘ચેલતા’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં મોહનનો રોલ દર્શકોને આજે પણ યાદ છે. મોહને ‘વાતારા’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં પોતાના અભિનયના આધારે દર્શકોનું દિલ પણ જીતી લીધું હતું. અભિનેતા સુપરહિટ ફિલ્મો ‘KGF ચેપ્ટર 1’ અને ‘KGF ચેપ્ટર 2’ (KGF ચેપ્ટર 2)માં પણ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "BREAKING NEWS: KGF ફેમ અભિનેતાનું નિધન, મનોરંજન જગતમાં શોકનો માહોલ"

Leave a comment

Your email address will not be published.


*