છ વર્ષની માસુમ બાળકીનું અપહરણ બાદ ગળું કાપી હત્યા- જાણો કયાની છે આ ઘટના

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી આપઘાતની અથવા તો હત્યાની ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. ત્યારે હાલમાં ફરી એકવાર આવી…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી આપઘાતની અથવા તો હત્યાની ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટના હાલમાં રાજકોટમાંથી સામે આવી રહી છે. આ ઘટના એ હ્રદય કંપાવી દે એવી છે.

રાજકોટમાં માત્ર 6 જ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ મળતાં જ હોબાળો મચી ગયો છે. ગઈકાલે પુનિતનગરની નજીક નવા બનતાં વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરોની ઓરડીમાંથી બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ કર્યાં પછી આજે હત્યા કરેલી લાશ મળી આવી હતી.

જો, કે હત્યા કોણે તેમજ શા માટે કરી છે એ હજુ સામે આવ્યું ન હોવાથી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે.નેન્સી અરવિંદભાઈ ડામોરનું અપહરણ થયા પછી હત્યા કરેલ લાશ મળી આવી છે.

ગોંડલ રોડ પુનિતનગરની નજીક નવી જ બની રહેલ વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં તેમજ ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદનાં ગરબાડા તાબેનાં નિમસ ગામનાં અરવિંદભાઇ રસીયાભાઇ ડામોરની દિકરી નેન્સી ગઇકાલે 16 મીનાં રોજ બપોરનાં 3-4 વાગ્યાની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી ગૂમ થઇ ગઈ હતી.

આ બાબતે તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી હતી. આ દરમિયાન આજ સવારે જ આ માસુમ બાળકીની પુનિતનગરની પાસે જ ગળુ કાપીને હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતાં હોબાળો મચી ગયો છે. DCP, ACP, ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની D – સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં તો ગળાનાં ભાગ પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી છે.પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, અપહરણની ફરિયાદમાં અરવિંદભાઇ અમલીયારે જણાવતાં કહ્યું હતું, કે હું હાલમાં તો પરિવારની સાથે જ વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર રહુ છું તથા મારા બાજુનાં ગામ સીમળીયા બુજુર્ગની રેખાની સાથે પ્રેમસંબંધ હોવાંથી એની સાથે વર્ષ 2012માં લવમેરેજ પણ કર્યા હતાં.

લગ્ન જીવનમાં સંતાન તરીકે માત્ર એક દિકરી નેન્સીનો જ જન્મ થયો હતો. જે હાલમાં માત્ર 6 વર્ષની જ હતી. ત્યારપછી રેખાની સાથે મારે છુટાછેડા થઇ ગયા હતાં. નેન્સી મારી સાથે જ રહેતી હતી. વર્ષ 2015 માં ખરેડી ગામની કાળીબેનની સાથે મેં લવમેરેજ કર્યા છે.

એનાં થકી સંતાનમાં પણ એક દિકરી કિર્તી હતી. જેની ઉંમર પણ માત્ર 3 વર્ષની જ છે. આ બંને દિકરી તથા પત્નીની સાથે કુલ 6 વર્ષથી હું રાજકોટમાં જ રહુ છું. જો, કે નેન્સી ઘરની પાસે રમવા જવા માટેનું કહીને ગયા બાદ ગુમ થઈ ગઈ હતી.

આજ લાશ મળતાંની સાથે જ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ પણ શરૂ કરી છે. જો, કે આ હત્યાની પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે. હાલમાં કુલ 5 જુદી-જુદી ટીમો પોલીસે હત્યાનું રહસ્ય જાણવા કામે લગાડી દીધી છે. CCTV ફૂટેજને આધારે પણ ફોરેન્સિકની ટીમ કામ કરી રહી છે.

હાલ તો પોલીસનાં કહેવાં પ્રમાણે મૃતક નેન્સીનાં ગળાનાં ભાગ પર ઇજાનાં નિશાન છે. ત્યારે એની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હોવાનું અનુમાન રહેલું છે. જો, કે હત્યાની પાછળ પ્રેમ સંબંધ પણ જવાબદાર છે કે ત્યારપછી કોઈપણ તાંત્રિક વિધિ કરવાં માટે બાળકીની હત્યા કરાઈ તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ પણ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *