જાણો ભારત ના અલગ અલગ રાજ્યો માં કઈ રીતે ઉજવાય છે નવરાત્રી….

Published on Trishul News at 4:38 PM, Fri, 20 September 2019

Last modified on September 20th, 2019 at 4:50 PM

ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી થાય છે, શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખુબ જ પ્રખ્યાત છે.

પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિશેષ રીતે ઉજવવામા આવે છે, જે તેઓ દુર્ગા પૂજા કહે છે. આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે. દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી થાય છે. ગુજરાતભર અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે. તે ભારતભર અને યુકે (UK) અને યુએસએ (USA)ની સાથોસાથ દુનિયાભરના ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે.

ગોવામાં નવરાત્રી દરમ્યાન જાત્રાની શરૂઆત થાય છે. આખા એન્ટ્રીઝ (ફોન્ડા)ને અતિશય સજાવવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે. મૂર્તિઓને વસ્ત્રો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે, તેમના પર ચંદન,હળદર,કંકુ લગાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોતા હોય છે, કારણકે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં નથી આવતા. ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

સારસ્વત બ્રાહ્મણની દશ મૈત્રિકા (ગોવાની દસ બહેનો)ની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવીને તેમની પૂજા કરવામાં આવે છે – આ દેવીઓના નામ આ મુજબ છે, શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા. દક્ષિણ ભારતમાં, લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવીની મૂતિઓ મૂકે છે. તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે. ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાં ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઇના નેરુલના ઘરમાં બાજુની જગ્યામાં રજૂ કરવામાં આવે છે.

કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે તેઓ પોતાના ઘર, પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં પુસ્તકો મૂકી તેની પૂજા કરે છે. વિજયાદશમીના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે.

વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે. આન્ધ્ર પ્રદેશ માંથી છૂટા તેલંગાના રાજ્યમાં નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે એક નવરાત્રી ઉત્સવ જેવા જ હોય છે. નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જાણો ભારત ના અલગ અલગ રાજ્યો માં કઈ રીતે ઉજવાય છે નવરાત્રી…."

Leave a comment

Your email address will not be published.


*