રાજકોટમાં વૃક્ષપ્રેમીએ એક એકર જમીનમાં ત્રણ હજાર વૃક્ષ વાવી બનાવ્યો ‘ઓક્સિજન પાર્ક’

હાલમાં કોરોનાને કારણે પરિસ્થિતિ એટલી વકરી છે કે, ઓક્સીજન તેમજ બેડની પણ અછત વર્તાઈ રહી છે. આવા સમયમાં લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાય છે. વૃક્ષો વાવો…

હાલમાં કોરોનાને કારણે પરિસ્થિતિ એટલી વકરી છે કે, ઓક્સીજન તેમજ બેડની પણ અછત વર્તાઈ રહી છે. આવા સમયમાં લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાય છે. વૃક્ષો વાવો અને શુદ્ધ ઓક્સિજન મેળવો એ સૂત્ર દરેક લોકો મનમાં રાખે તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાય રહે છે. જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ સારી અસર પડે છે.

આ દરમિયાન રાજકોટના વૃક્ષપ્રેમી ભરતભાઈ સુરેજા દ્વારા એક ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, તેમણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ઓક્સિજન પાર્કમાં ત્રણ હજાર જેટલાં વૃક્ષો વાવ્યા છે. આ ઉપરાંત ભરતભાઇનાં માતા-પિતા સહિત મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.

2016માં ભરતભાઈએ કોર્પોરેશનના બંજર પ્લોટમાં વૃક્ષો વાવ્યા
2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જે બંજર પડ્યો હતો. એમાં ભરતભાઇ અને તેની ટીમ દ્વારા ઓક્સિજન પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. અઢી વર્ષ પહેલાં આ પાર્કને બનાવવામાં આવ્યો છે અને આજે 1 એકરની આ જમીનમાં 3000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યની સુખાકારી માટે પર્યાવરણનો બહોળો ફાળો રહેલો છે. જેને લઈને જ ભરતભાઇ દ્વારા અહીં અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો ભરતભાઇ સુરેજા અને તેની ટીમનો ઉદ્દેશ છે.

ભરતભાઇનો રાજકોટને પ્રદૂષણમુક્ત બનાવવો વિચાર
જાણવા મળ્યું છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી ભરતભાઇ વૃક્ષારોપણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હવે લોકો પર્યાવરણની જાળવણી કરે એનું મહત્ત્વ સમજે એ પણ ખૂબ જ મહત્વનું છે. જયારે પ્રદૂષણ રેટમાં રાજકોટ આગળ છે. ત્યારે કંઈ રીતે એને પ્રદૂષણમુક્ત બનાવી ગ્રીન સિટી તરફ લઈ જવું એવો વિચાર આવ્યો હતો.

બંજર જમીન આજે હરિયાળી બની
બંજર જમીનને આજે ભરતભાઈ દ્વારા હરિયાળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમની એવી પણ ઈચ્છા છે કે, રાજકોટને હરિયાળું બનાવવા હજુ પણ ઘણીબધી જગ્યાએ આ રીતે ઓક્સિજન પાર્ક ઊભા કરવા છે. એને લઈને લોકોને એક શુદ્ધ, પ્રદૂષણમુક્ત અને તાજગીભર્યું વાતાવરણ પ્રદાન થાય અને સાથે લોકો પણ પર્યાવરણનું મહત્ત્વ સમજી વૃક્ષોનું વાવેતર કરે.

115 જાતિનાં 3 હજાર વૃક્ષો વાવ્યાં- ભરતભાઈ
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું કે, 2016માં 115 જાતિનાં 3000 વૃક્ષો અમે વાવ્યા છે. અમારો ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એ જ છે કે, લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને બીમાર પડે નહીં. અહી રોજ ઘણાબધા લોકો આવે છે. આ ઉપરાંત અમે અંદર ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો એ છોડ બ્લોક ખોલી દે એવા છોડ પણ વાવ્યા છે. અહી કોરોનામાંથી સાજા થયેલા લોકો પણ આવે છે અને તેમને ઘણીબધી રાહત મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *