ઘરેથી ભાગી જતાં પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે આ જગ્યા, પોલીસ પણ નથી લગાવી શકતી હાથ

પ્રેમીઓ પણ પોતાને સમાજમાં સુરક્ષિત ન અનુભવતા દૂર જીંદગી જીવવા નિકળી જતાં હોય છે. જો કે ઘણી વાર એવુ બંને છે કે, ઘરેથી ભાગ્યા બાદ…

પ્રેમીઓ પણ પોતાને સમાજમાં સુરક્ષિત ન અનુભવતા દૂર જીંદગી જીવવા નિકળી જતાં હોય છે. જો કે ઘણી વાર એવુ બંને છે કે, ઘરેથી ભાગ્યા બાદ થોડા દિવસોમાં તો આ પ્રેમી પંખીડાને પોલીસ પકડી લે છે. ત્યારબાદ પરિવારને સોંપી દેવામાં આવતા હોય છે. આજે અમે એવી જગ્યા વિશે જણાવીએ છીએ જ્યાં પ્રેમીપંખીડા માટે સૌથી સુરક્ષિત છે.

દેશમાંથી આપને એવી કેટલીય ખબરો મળી રહેતી હશે જે ભારતીય સંસ્કૃતિને કોઈ અન્ય ધર્મ અથવા પરિવારમાં મંજૂરી વગર લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. જેના કારણે વર્ષે કેટલાય પ્રેમી યુગલ આત્મહત્યા કરી લેતા હોય છે અથવા તો હત્યા કરી દેવામાં આવતી હોય છે. જો કે, આટલુ હોવા છતાં પણ કેટલાય પ્રેમીઓ ઘર છોડીને ભાગી જતાં હોય છે.

એક એવી જગ્યા છે, જ્યાં સમાજનો ડર નથી કે કોઈ પકડશે તેવો પણ ડર નથી. મહેમાનની જેમ અહીં લોકો આવકારો આપે છે. આ જગ્યા હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વસેલા શંગચૂલ મહાદેવ મંદિરની છે. જે પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. હકીકતમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શાંઘડ ગામમાં એક પરંપરા છે. આ ગામમાં આવેલા શંગચૂલ મહાદેવના મંદિરની સરહદમાં જો કોઈ પ્રેમીપંખીડા પહોંચી જાય તો તેમનું કોઈ કંઈ બગાડી શકતુ નથી. આ ગામમાં આવતા લોકોને રહેવા-ખાવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *